મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં માતાએ કામ બાબતે ઠપકો આપતા સગીર વયની પુત્રીએ આત્યંતિક પગલું ભરી લેતા સારવારમાં દાખલ


SHARE













મોરબીમાં માતાએ કામ બાબતે ઠપકો આપતા સગીર વયની પુત્રીએ આત્યંતિક પગલું ભરી લેતા સારવારમાં દાખલ

મોરબીના ભડીયાદ ગામની પાસે આવેલ કારખાનાના લેબર કવાટર ખાતે સગીરાએ ગળેફાંસો ખાઈ લેતા તેણીને બેભાન હાલતમાં અત્રેની હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયેલ છે.

 મોરબી તાલુકાના પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ સુનીતાબેન ઉપેન્દ્રભાઈ ચૌહાણ (ઉ.12) મુળ રહે. પુનાવટી છોટા નવાધ બીહાર હાલ રહે.મોરબી સોકા સેનેટરીના લેબર કવાટર ભડીયાદની સીમ ખાતેના લેબર કવાટરમાં ગળેફાંસો ખાઈ જતા તેને ગંભીર હાલતમાં (બેભાન હાલતમાં) અત્રેની આયુષ હોસ્પીટલે સારવારમાં લાવવામાં આવેલ છે. બનાવને પગલે હોસ્પીટલ દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા બીટ જમાદાર એમ.પી. ઝાલા તપાસ માટે ગયા હતા.જયાં સગીરાના પરીવારજનો પાસેથી મળેલ વિગતો મુજબ સુનિતાને રસોઈ બનાવવા બાબતે તેની માતાએ સામાન્ય ઠપકો આપ્યો હતો જે બાબતનું મનોમન લાગી આવતા તેણીએ ઉપરોકત પગલુ ભરી લીધુ હતું..!

ઈલેકટ્રીક શોક લાગતા સારવારમાં

 મોરબીના સામાકાંઠે કહેન્દ્રનગર ગામે રહેતા રાજેશભાઈ મગનભાઈ કાલરીયા (ઉ.45)ને મહેન્દ્રનગર ચોકડી પાસેના ધ્રુવ પાણીના પ્લાન્ટમાં કામ દરમ્યાન ઈલે. શોટ લાગતા સારવાર માટે સિવિલે લઈ જવાયા હતા. જયારે માનસર ગામ નજીક રીક્ષા પલ્ટી મારી જતા નરેશ ગોરધનભાઈ હળવદીયા (ઉ.26) રહે. સાદુળકા તા.મોરબીને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

તેમજ ઘુંટુ ગામે થયેલી મારામારીમાં ઈજા થતા લાલાભાઈ રામજીઙાઈ દેત્રોજા નામના 35 વર્ષના યુવાનને સિવિલે સારવારમાં ખસેડાયો હતો જયારે બોડકી અને જીંજુડા ગામની વચ્ચે બાઈક સ્લીપ થવાની ઘટનામાં સલીમ બાવલભાઈ જામ (25) રહે. જીંજુડા તા.મોરબીને સારવારમાં લઈ જવાયો હતો.

દરવાજો પડતા બાળક સારવારમાં
 મોરબી તાલુકાના જીકીયારી ગામે ઘરનો લોખંડનો દરવાજો માથે પડતા કુલદીપ ભરતભાઈ અદગામા નામના પાંચ વર્ષના બાળકને અત્રે આયુષ ખાતે સારવારમાં લાવવામાં આવ્યો હતો.

જયારે મહેન્દ્રનગર ગામની ચોકડી પાસેના સીએનજી પંપ પાસે બાઈક સાથે બાઈક અથડાતા જયેશ વાસુદેવભાઈ દેથરીયા (35) રહે. મહેન્દ્રનગર ગામ પાસે બનેલ અન્ય એક અકસકમાત બનાવમાં ઈજા પામેલ ચિરાગ પ્રકાશભાઈ ઉધરેજા (24) રહે. વાઘગઢ ધ્રાંગધ્રાને અત્રેની શિવમ હોસ્પીટલે સારવાર માટે લઈ જવાયો હતો.

જયારે જેતપર રોડ યમુના કંપની પાસેના શ્યામ કિરાણા સામે બાઈક સ્લીપ થઈ જતા મુળ એમપી હાલ મોરબી રહેતા મુકેશ ગેહલોત (ઉ.37)ને સારવારમાં લઈ જવાયો હતો. માણેકવાડા ગામના મહમદ હુશેન અલીભાઈ સુમરા નામના 38 વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલે ખસેડાયો હતો. જેથી તાલુકા પોલીસ મથકના ફિરોઝભાઈ સુમરાએ તપાસ કરી હતી








Latest News