મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીની સિલ્વર પાર્ક અને વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં એક-એક વૃદ્ધે જીવનનો અંત આણ્યો


SHARE













મોરબીની સિલ્વર પાર્ક અને વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં એક-એક વૃદ્ધે જીવનનો અંત આણ્યો

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ સિલ્વર પાર્ક સોસાયટીમાં તેમજ વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા બે વૃદ્ધોએ કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે પોતાના ઘરની અંદર ગળાફાંસા ખાઈ લીધા હતા જેથી તે બંનેના વૃદ્ધના મોત નીપજયાં હતા આ બંને બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના જૂના ઘૂટું રોડ ઉપર આવેલ સિલ્વર પાર્ક સોસાયટીમાં કલ્યાણ ગ્રામ શાળાની બાજુમાં રહેતા રમેશભાઈ છગનભાઈ ચાવડા (60) નામના વૃદ્ધે કોઈ અગમ્ય કારણસર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક વૃદ્ધના દીકરા સંજયભાઈ રમેશભાઈ ચાવડા (29) રહે. જુના ઘૂટું રોડ સિલ્વર પાર્ક સોસાયટી મોરબી વાળાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા રમેશચંદ્ર મણીલાલ કારીયા (60) નામના વૃદ્ધે કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

અકસ્માતના બનાવમાં ઇજા

મોરબીના સનાળા રોડ પર રહેતા દેવેન્દ્રભાઈ જીવરામભાઈ ટાંક (58) નામના વૃદ્ધ સનાળા રોડ ઉપર આવેલ રેવા ટાઉનશિપ પાસેથી બાઈક ઉપર જતાં હતા ત્યારે બાઇક સ્લીપ થવાથી અકસ્માત થયો હતો જેમાં તેઓને ઈજા થવાથી તેમને સારવાર માટે લઈને આવ્યા હતા જ્યારે મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતો એજાજ ઘાંચી (22) નામનો યુવાન નવલખી રોડ પર આવેલ કુબેરનગર રોડ પાસે પસાર થઈ રહ્યો હતો ત્યારે વાહન અકસ્માતના બનાવમાં તેને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને સારવાર આપી હતી અને આ બંને બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.








Latest News