મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના ખારચિયા નજીક સર્જાયેલ જીવલેણ અકસ્માતન બનાવમાં કાર ચાલક સામે એસટીના ડ્રાઈવરે નોંધાવી ફરિયાદ


SHARE











મોરબીના ખારચિયા નજીક સર્જાયેલ જીવલેણ અકસ્માતન બનાવમાં કાર ચાલક સામે એસટીના ડ્રાઈવરે નોંધાવી ફરિયાદ

મોરબીના ખારચિયા ગામ નજીક ગઈકાલે સવારે રોડ સાઈડમાં ઊભેલ એસટી બસની પાછળ અર્ટીકા કાર અથડાઈ હતી. જેથી કરીને કારમાં બેઠેલા લોકોમાંથી બે વ્યક્તિના મોત નિપજ્યાં છે અને ત્રણ લોકોને ઇજા થવાથી તેને મોરબી અને રાજકોટ સારવાર માટે લઈ જવામાં આવેલ હતા. જો કે, કારમાં બેઠેલા 13 વર્ષના બાળકને કોઈ ઇજા થઈ ન હતી અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ બનાવમાં બસના ચાલકે કાર ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસ આગળની કાર્યવાહી કરેલ છે.

કચ્છના ગાંધીધામ ખાતે આવેલા બાલાજી મંદિર ખાતે શરણાઈ સહિતના વાજિંત્રો વગાડવાનું કામ કરતા પાંચેક લોકો તથા એક બાળક સાથે અર્ટીકા કારમાં ગાંધીધામથી દ્વારકા દર્શન કરવા માટે જતા હતા. તેવામાં ગઈકાલે વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં તેઓની કાર મોરબી તાલુકાનાં ખારચીયા ગામ પાસે રોડ સાઈડમાં ઊભેલ એસટીની બસની પાછળના ભાગે અથડાઇ હતી જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે અને તેના વિડીયો પણ વાઇરલ થયેલ હતો. આ બનાવમાં કારમાં બેઠેલા લોકોમાંથી રામાનુજા જગન્નાથ પંચાંગમ ચારૂલ (53) રહે. મૂળ આંધ્રપ્રદેશ હાલ રહે. બાલાજી મંદિર ગાંધીધામનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે કાસૈયા રામુલુ રોમ્પલી (67) રહે. મૂળ આંધ્રપ્રદેશ હાલ રહે.બાલીજી મંદિર ગાંધીધામ (કચ્છ) ને સારવાર માટે મોરબી સિવિલે લાવ્યા હતા ત્યાં ટૂંકી સારવારમાં તેનું મોત નિપજ્યું હતું. 

જો કેકારના ડ્રાઇવર કૃણાલ પ્રકાશભાઈ અશ્વિની (24) રહે.ગોપાલનગર આદિપુર (કચ્છ) તેમજ અજનાર લચ્છુત (46) અને ધાલૈયા ક્રિષ્નામૂર્તિ નવીરી (44) રહે. બંને મૂળ વિશાખાપટ્ટનમ હાલ ગાંધીધામ બાલાજી મંદિર વાળાને ઇજા થતાં તેઓને મોરબી અને રાજકોટ  સારવાર માટે લઈ ગયા હતા. અને આ કારમાં બેઠેલા 13 વર્ષના એક બાળકને કોઈ ઇજા થયેલ ન હતી. અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશને જાણ કરતાં બીટ વિસ્તારના જમાદાર એમ.પી.ઝાલાએ પ્રાથમિક તપાસ કરી હતી અકસ્માતના આ બનાવ સંદર્ભે જામનગરના રામેશ્વર નવાગામ ખાતે રહેતા એસટી બસના ડ્રાઇવર દિલીપકુમાર દેવશંકર જોશી (44) એ કાર નં જીજે 39 પી 7361 ના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ પીએસઆઇ એ.બી.મિશ્રા ચલાવી રહ્યા છે.






Latest News