મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

ટંકારાના હરબટીયાળી ગામે વાડીમાંથી નીકળતી પાણીની લાઇન કાઢવા બાબતે બોલાચાલી-મારામારી: હવે સામસામી ફરિયાદ


SHARE

















ટંકારાના હરબટીયાળી ગામે વાડીમાંથી નીકળતી પાણીની લાઇન કાઢવા બાબતે બોલાચાલી-મારામારી: હવે સામસામી ફરિયાદ

ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે વાડીમાંથી નીકળતી પાણીની લાઇન કાઢવા બાબતે બોલાચાલી અને મારા મારી થયેલ હતી જેથી બંને પક્ષેથી ઇજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને બંને પક્ષેથી સામસામી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ ટંકારા તાલુકાના હરબટીયાળી ગામના રહેવાસી અને હાલમાં રાજકોટ મોરબી રોડ ઉપર સેટેલાઈટ ચોક ઇન્દ્રપ્રસ્થ-2 શેરી નં-4 ખાતે રહેતા કિર્તીભાઈ ટપુભાઈ સંઘાણી (42)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પંકજભાઈ ખીમજીભાઇ સંઘાણી, રજનીકાંત ખીમજીભાઇ સંઘાણી અને કલ્પેશભાઈ ખીમજીભાઇ સંઘાણી રહે, બધા હરટીયાળી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છેકે, તેઓના કૌટુંબિક ભાઈ ખુશાલભાઈની પાણીની પાઇપ લાઇનને પંકજભાઈ તથા રજનીકાંતભાઈ ખોદકામ કરીને કાપતા હતા જેથી ખુશાલભાઈએ તેને પાણીની પાઇપલાઇન કાપવાની ના પાડી હતી જે તેઓને સારું નથી લાગતા તેઓએ ખુશાલભાઈ તથા નૌતમભાઈ સાથે બોલાચાલી ઝઘડો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો ત્યારે ફરિયાદી તેઓને છોડાવવા માટે ગયો હતો અને તેણે પથ્થરનો છૂટો ઘા મારવામાં આવતા તેને ઈજા થઈ હોવાથી ત્રણ ટાંકા આવ્યા હતા અને કલ્પેશભાઈએ ફરિયાદીને લાકડી વડે મારમારીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

જ્યારે સામા પક્ષેથી મૂળ હરટીયાળીના રહેવાસી અને હાલમાં રાજકોટમાં મવડી ચોકડી પાસે આદર્શ એવન્યુ સોસાયટી ફ્લેટ નંબર બી-702 માં રહેતા રજનીકાંતભાઈ ખીમજીભાઇ સંઘાણી (45)એ ખુશાલભાઈ જેઠાભાઈ સંઘાણી, નૌતમભાઈ ટપુભાઈ સંઘાણી અને કિર્તીભાઈ ટપુભાઈ સંઘાણી સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદી તથા સાહેપંકજભાઈ પોતાની વાડીએ ગયા હતા અને તેઓની વાડીમાંથી ખુશાલભાઈની પાણીની પાઇપલાઇન નીકળતી હોય જે કાઢવાની હતી પરંતુ કાઢેલ ન હતી માટે ફરિયાદીનો ભાઈ પંકજ ચાલીને બીજી વાડીએ જતો હતો ત્યારે રસ્તામાં ખુશાલભાઈ અને નૌતમભાઈએ મારામારી કરી હતી તેમજ કીર્તિભાઈએ લાકડી વડે ફરિયાદીને જમણા હાથમાં કોણી પાસે તથા સાહેબ પંકજભાઈને વાંસાના ભાગે માર મારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલા લોકોને સારવારમાં લઈ ગયા હતા અને ત્યાર બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે




Latest News