મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં થેલેસેમિયાના દર્દીઓ માટે મદદરૂપ થવા યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૧૩૪ બોટલ રક્ત એકત્રિત થયું


SHARE











મોરબીમાં થેલેસેમિયાના દર્દીઓ માટે મદદરૂપ થવા યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૧૩૪ બોટલ રક્ત એકત્રિત થયું


મોરબીના સ્કાયમોલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પની અંદર ૧૩૫ બોટલ રક્ત એકત્રીત થયું હતું.મોરબીના વિક્રમભાઈ દફતરી દ્વારા છેલ્લા ૧૨ વર્ષથી રક્તદાન કેમ્પ યોજવામાં આવે છે.તેઓના પુત્ર કાર્તિક વિક્રમભાઈ દફતરીનું વર્ષો પહેલા થેલેસેમિયાની બીમારી સબબ અવસાન થયું હતું.ત્યારબાદથી થેલેસેમિયાગ્રસ્ત લોકોને મદદરૂપ થવા માટે તેઓ છેલ્લા ૧૨ વર્ષથી આ રક્તદાન કેમ્પ યોજે છે.મોરબીના સ્કાયમોલ ખાતે યોજવામાં આવેલા આ રક્તદાન કેમ્પમાં ૧૩૪ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું કે જે કોઈ થેલેસેમિયાપીડીત દર્દીને ઉપયોગી બનશે.તમામ રક્તદાતાઓનો વિક્રમભાઈ દફતરી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

તેમજ મોરબી મહાનગરપાલિકા વિસ્તાર હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લીલાપર રોડ ખાતે તા.૬-૬ ના રોજ સંસ્કાર બ્લડ બેન્કના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. “રકતદાન મહાદાન” ની ઉકિતને સાર્થક કરતાં ઉપરોક્ત કેમ્પમાં શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ તેમજ વિસ્તારના લોકો દ્વારા રકતદાન કરવામાં આવ્યું હતું.દરેક યુવાન તંદુરસ્ત વ્યક્તિએ રકતદાન અવશ્ય કરવું જોઈએ.






Latest News