મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ


SHARE











મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ

ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી.જાડેજાની ગેરકાયદેસર અટકાયત કરીને તેની સામે પાસાનો હુકમ કરવામાં આવે છે તેનો ગામોગામ વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે મોરબીમાં શ્રી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંધ, શ્રી મોરબી જીલ્લા રાજપૂત સમાજ અને શ્રી રાજપૂત કરણી સેના મોરબી જીલ્લાના હોદેદારોની હાજરીમાં કલેક્ટર મારફતે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને આવેદનપત્ર આપીને પાસાના હુકમને રીવોક કરવાની માંગ કરેલ છે.

શ્રી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંધ-મોરબી, શ્રી મોરબી જીલ્લા રાજપૂત સમાજ અને શ્રી રાજપૂત કરણી સેના મોરબી જીલ્લાના હોદેદારોની હાજરીમાં મોરબી ક્ષત્રિય સમાજના લોકોની હાજરીમાં આજે કલેકટરે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને તાજેતરમાં અચાનક કોઈ મોટા આતંકી ગુનેગારને પાડવાના હોય તે રીતે પોલીસ કાફલો સામાજીક સંસ્થાના મોભાદાર આગેવાનના ઘરે જાય છે અને કોઈ જ પ્રકારની જાણ વગર રાત્રીના સમયે તેની અટક કરી પોલીસ સ્ટેશન લઈ આવે છે અને પરીવારના સભ્યો દ્વારા પુછવામાં આવતા કોઈ જ જવાબ આપવામાં આવતો નથી અને ત્યાર બાદ પાસા જેવા ગંભીર કાયદાની કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવે છે.

કોઈ રાજકીય ઈશારે કિન્નાખોરી પૂર્વક ડયંત્ર કરવામાં આવે છે. જેથી સમાજમાં રોષની લાગણી ફેલાયેલ છે અને ગંભીર પ્રકારના અનેક ગુનાઓ આચરનાર વિરૂધ્ધ પાસાની કાર્યવાહી કરવામાં આવતી નથી પરંતુ પી.ટી.જાડેજા સામે પાસાની કાર્યવાહી કરીને અન્યાયકારી વલણ અપનાવામાં આવેલ છે. જેથી તેનો ગુજરાતમાં ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢે છે.

વધુમાં જણાવ્યુ છેકે, પી.ટી.જાડેજા અમરનાથ મંદિરના ટ્રસ્ટિ અને પ્રમુખ છે. તેમણે લોકોની માંગણીને ધ્યાને લઈને અમુક તકવાદી તત્વોને રોકવાનો પ્રયાસ માત્ર કરેલ જે તેની ફરજ પણ હતી. જેથી તેને મોટુ સ્વરૂપ આપી પી.ટી.જાડેજાની સામાજીક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા અને તેને નીચા દેખાડવા માટે આ હિન પ્રયાસ કરવામાં આવેલ છે. જેથી મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને કલેક્ટર મારફતે આવેદનપત્ર આપીને આ ઘટનામાં દરમીયાનગીરી કરીને એક સામાજીક અગ્રણીની વિરૂધ્ધ કરવામાં આવેલ પાસાને રીવોક કરવામાં આવે તેવી માંગ કરેલ છે. નહિ તો  અન્યાયની સામે ગુજરાતમાં રાજપૂત સમાજ ન્યાયોચિત લડાઈ લડશે. તેવી ચીમકી પણ ઉચ્ચારી  છે.






Latest News