મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન


SHARE











વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન

વાંકાનેર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા તાલુકા કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લાના અધ્યક્ષ અને સિનિયર ઉપાધ્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું તાલુકાના અધ્યક્ષ અશોકભાઈ સતાસિયા દ્વારા દરેક કાર્યકર્તા સ્વાગત કરવામાં આવ્યું હતું આ બેઠકમાં સંગઠનનો વ્યાપ વધારવા માટે અને સંગઠનને વધારે મજબૂત બનાવવા માટે કેવા પ્રયત્નો કરવા જોઈએ તેનું સચોટ માહિતી મોરબી જિલ્લાના સિનિયર ઉપાધ્યક્ષ સંદીપભાઈ આદ્રોજાએ આપી હતી ત્યાર બાદ મોરબી જિલ્લાના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા દ્વારા આવનારા સમયમાં શિક્ષકોના પડતર પ્રશ્નોને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વાચા આપવામાં આવશે જેમાં જૂની પેશન યોજના ૨૦૦૫ પછી લાગુ પાડવા માટે યોજના બનાવાશે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી અને વાંકાનેર તાલુકાની કારોબારીમાં નવા સભ્યો કોટડીયા દીપકભાઈ,પાટડીયા જીવરાજભાઈ,વાનાણી જેઠાભાઈની નિમણૂક કરવામાં આવી હતી ત્યારબાદ તાલુકાના કારોબારી સભ્યો દ્વારા પ્રતિભાવ અને પ્રશ્નોની રજુઆત કરવામાં આવી હતી ત્યાર બાદ બેઠકને પૂર્ણ કરવામાં આવી હતી.






Latest News