મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો


SHARE













મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામ પાસેના રામધન આશ્રમના પુલ પાસે બાઈકને અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લીધુ હતુુ.ગત તા.૬ ના વહેલી સવારે છએક વાગ્યાના અરસામાં બનેલા અકસ્માત બનાવમાં નિઝામ રહીમભાઈ સુમરા રહે.શાંતિવન સોસાયટી રોહીદાસપરા પાસે વીસીપરા મોરબીને ઇજાઓ થઈ હતી.જેથી તેને અહીંની આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.બનાવ અંગે હાલ બી ડિવિઝન પોલીસ મથકના મોમજીભાઈ ચૌહાણ આગળની તપાસ ચલાવી રહ્યા છે.

બાઈક-રીક્ષા અકસ્માત

મોરબીના ટંકારા તાલુકાની સાવડી ચોકડી પાસે રીક્ષા અને બાઈકનો અકસ્માત બન્યો હતો.જેમાં બાઈકમાં સવાર કનુભાઈ ઠુમેરસિંગ માવડા (૧૯) અને બીનાબેન શેનભાઈ બવાર (૨૦) રહે.બંને નેસડા ટંકારને ઇજા થતા બંનેને અત્રેની સિવિલે સારવારમાં લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે ધરમપુર ગામ પાસેના શુભનગર વિસ્તારમાં રહેતા રાજેશભાઈ દિલીપભાઈ ચાવડા નામના ૧૭ વર્ષના યુવાનને બાઈક લઈને જતા સમયે સ્મશાન પાસે વાહન સ્લીપ થવાના બનાવમાં ઇજા થતા આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના વાંકાનેર હાઇવે ઢુવા ગામ પાસે પગપાળા જતા અવશેસભાઈ પટેલ નામના ૩૦ વર્ષના યુવાનને ઇકો ચાલાકે ઝપટે લેતા ૧૦૮ વડે તેઓને પણ સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને માળિયાના ખીરસરા ગામે કાનાભાઈ ગોવાભાઈ કોળી નામના ૪૫ વર્ષના યુવાનને ઘર નજીક પતરા ઉપર કામ કરતા સમયે નીચે પડી જતા ઈજા થતા સારવાર માટે મોરબી સિવિલે લાવવામાં આવ્યા હતા.તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે અને બનાવોની આગળની વધુ તપાસ હાથ ધરી છે.

વૃદ્ધ-યુવાન-મહીલા સારવારમાં

ટંકારાના લખધીરગઢ ગામે રહેતા ગોકુલભાઈ ચકુભાઈ રબારી નામના ૬૫ વર્ષના વૃધ્ધને ગામના ઝાંપા નજીક કોઈ ઝેરી જનાવર કરડી જતા સારવાર માટે મોરબી સિવિલે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના મહેન્દ્રનગર ગામે ઉમિયાનગર વિસ્તારમાં રહેતા કાંતિભાઈ રતાભાઇ બારૈયા નામના ૫૧ વર્ષના આધેડને ચરાડવા ગામે બ્રિજ નજીક બાઇક સ્લીપ થવાના બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં અત્રેની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.તેમજ હળવદના રણજીતગઢ ગામે રહેતા કિશન અલ્પેશભાઈ ભોરણીયા નામના ૨૦ વર્ષના યુવાનને ગામના પાટીયા પાસે બાઈક સ્લીપ થવાના બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં અત્રે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને મોરબીની અવની ચોકડી પાસે બાઈક સ્લીપ થવાના બનાવમાં કૈલાશબેન ગૌતમભાઈ પાંચોટિયા (૪૮) રહે.ગણેશ પેલેસ અવની ચોકડીને પણ અત્રેની સાગર ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

મારામારીમાં ઈજા

મોરબીના સામેકાંઠે સોઓરડી વિસ્તારમાં રહેતા આફતાબ રફીકભાઈ સમા નામના ૨૭ વર્ષના યુવાન ઉપર ધારીયા વડે હુમલો કરવામાં આવ્યો હોય ઇજા પામેલ હાલતમાં સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે સોનલ ઉર્ફે સોનકીબેનના ઘર પાસે આ મારામારીનો બનાવ બન્યો હતો.જે બાબતે બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.જ્યારે મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશીપ પાસેની ગીરીરાજ સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ પંચાસરા નામના ૫૮ વર્ષના આધેડ પગપાળા જતા હતા ત્યારે કાર ચાલકે તેઓને પાછળથી હડફેટે લેતા ઇજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી રહી છે.








Latest News