મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યામોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું
Breaking news
Morbi Today

મોરબીમાં પાડોશી દ્વારા ખોટી રીતે મુકાયેલી બારીના કેસમાં પ્રતિવાદીએ કોર્ટમાં ચાર વખત કરેલ વચ્ચગાળાની અરજીઓ કોર્ટે નામંજૂર કરી


SHARE













મોરબીમાં પાડોશી દ્વારા ખોટી રીતે મુકાયેલી બારીના કેસમાં પ્રતિવાદીએ કોર્ટમાં ચાર વખત કરેલ વચ્ચગાળાની અરજીઓ કોર્ટે નામંજૂર કરી

મોરબીના મ્યુ. હદ વિસ્તારમાં લખધીરવાસ મેઈનરોડ ઉપર આવેલ લેખ નં-૧૭૮ તથા સીટી સર્વના વોર્ડ નં-૧, શીટ નં-૧૭૬ ના સીટી સર્વ નં-૧૪૦૦ વાળી મિલ્કતના માલીક વાદી બાબુભાઈ ઉમરભાઈ જનાણીએ પ્રતિવાદી પરેશભાઈ મોહનભાઈ કતીરા તથા મોરબી નગરપાલિકા સામે રેગ્યુલર દિવાની કેશ નં.૨૩૩/૨૦૨૧ થી દાવો દાખલ કરેલ.જેમા પ્રતિવાદી પરેશભાઈ મોહનભાઈ કતીરાએ તે દાવાના કામે આંક-૩૨ થી વચગાળાનો મનાઈહુકમ મેળવવા અરજી કરેલ, જે પ્રતિવાદીએ પરત ખેંચી લીધેલ છે.અને આંક-૩૨ B થી પ્રતિવાદી પરેશભાઈ મોહનભાઈ કતીરાએ ફરી મનાઈહુકમ મેળવવા અરજી કરેલ તે અરજી નામદાર કોર્ટ તરફથી રદ/નામંજૂર કરવામાં આવેલ છે.અને રૂા.૫૦૦ નો કોસ્ટનો પણ હુકમ કરવામાં આવેલ છે.

ત્યારબાદ પ્રતિવાદી પરેશભાઈ મોહનભાઈ કતીરાએ આંક-૩૬ થી ફરી ઓ-૮ રૂલ-૬ મુજબની ૪૪ પાનાની અરજી કરેલ જે અરજી પણ નામદાર કોર્ટ તરફથી રદ/નામંજૂર કરવામાં આવેલ અને રૂા.૩૫૦૦ ની રકમનો કોસ્ટ ભરવાનો હુકમ પણ કરવામાં આવેલ હતો.ત્યારબાદ ફરી પ્રતિવાદી પરેશભાઈ તરફથી આંક -૩૮ થી પ્રતિદાવામાં સુધારો કરવાની અરજી કરવામાં આવેલ અને તે અરજી પણ નામદાર કોર્ટે રદ/નામંજુર કરેલ છે. અને ત્યારબાદ ફરી પ્રતિવાદી પરેશભાઈ કતીરા તરફથી આંક-૪૩ થી વાદીનો દાવા રદ કરવા અરજી કરેલ પરંતુ તે અરજી પણ નામદાર કોર્ટે રદ/નામંજુર કરી રૂા. ૧૦૦૦ ની રકમનો કોસ્ટ ભરવાનો હુકમ કરેલ છે. અને છેલ્લે ફરી પ્રતિવાદી પરેશભાઈ કતીરાએ આંક-૪૬ થી વચગાળાની રાહત મેળવવા વાદીની મિલ્કતમાં પ્રવેશ કરવા માટેની અરજી કરેઈ જે પણ નામદાદ કોર્ટે રદ/નામંજર કરી રૂા. ૧૦૦૦ ની રકમની કોસ્ટ ભરવાનો હુકમ કરેલ છે.આમ પ્રતિવાદીની દરેક અરજી રદ/નામંજુર થયેલ જેમા પ્રતિવાદી સામે વાદી પક્ષ તરફથી વિધ્વાન વકીલ નિકંજ પુનમચંદભાઈ કોટક, હાર્દિક ગોસ્વામી, હીરેન ગોસ્વામી, વિશાલ પી.ચાવડા, અશોક દામાણી તથા કિશોર સુરેલા રોકાયેલ હતા.








Latest News