મોરબીમાં દુધપાક સાથે ભરપેટ ભોજન કરાવી શ્રાવણ માસના છેલ્લા સોમવારની ઉજવણી કરતુ યંગ ઇન્ડિયા ગ્રુપ સુવિધા કે દુવિધા : મોરબીવાસીઓને હવે વાહન પાર્કિંગનો પણ ચાર્જ આપવો પડશે...? માળીયા (મી) બોગસ ખેડૂત ખાતેદાર કાંડમાં પકડાયેલ પત્રકાર અતુલ જોશી જેલ હવાલે, જમીનનો ઓરીજનલ દસ્તાવેજ કબ્જે કર્યો, હસ્તાક્ષર-સહિના નમૂના FSL માં મોકલાશે: કે.કે.જાડેજા મોરબી: નેતાજી સુભાષચંદ્ર બોઝની પુણ્યતિથિને ક્રાંતિકારી સેના દ્વારા ગુમનામી દિવસ તરીકે મનાવાયો પદ્મશ્રી શાહાબુદ્દીન રાઠોડની મોરબીના સાહિત્યપ્રેમીઓએ મુલાકાત લઈને કર્યું સન્માન શ્રાવણ માસના છેલ્લા સોમવારે વાંકાનેરના પ્રસિદ્ધ જડેશ્વર મહાદેવ મંદિરે જડેશ્વર દાદાની પાલખી યાત્રા યોજાઇ: 101 વર્ષથી સજનપરનો વસંત પરિવાર કરે છે ભંડારો હળવદના જુના દેવળીયા ગામે સાથે ફરવાની ના કહેતા યુવાન અને તેના પરિવાર ઉપર ત્રણ શખ્સોએ કર્યો ધારિયા-ધોકા વડે હુમલો મોરબીના પાવળીયારી પાસે કારખાનાના ક્વાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત: લાલપર નજીક કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

માળિયા (મી)ના બોગસ ખેડૂત ખાતેદાર કાંડમાં હવે પત્રકાર અતુલ જોશીની ધરપકડ: રિમાન્ડ લેવા માટે તજવીજ


SHARE















માળિયા (મી)ના બોગસ ખેડૂત ખાતેદાર કાંડમાં હવે પત્રકાર અતુલ જોશીની ધરપકડ: રિમાન્ડ લેવા માટે તજવીજ

માળીયા (મી) તાલુકાના બોગસ ખેડૂત ખાતેદાર પ્રકરણમાં સીઆઇડીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જેમાં તાજેતરમાં મોરબીના ચકચારી 602 જમીન કૌભાડમાં પકડાયેલા આરોપી અતુલ જોશીની હવે ધરપકડ કરી છે અને તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.

માળિયા (મી)ના સરવડ ગામના રહેવાસી મહેશ પ્રભાશંકર રાવલ કે જેઓનું થોડા સમય પહેલા જ બીમારી સબબ અવસાન થયું છે તેમણે પોતાના ત્રણ સંતાનો ઉપરાંત હંસાબેન નામની મહિલાને સોગંદનામાં દીકરી બતાવીને બોગસ વારસાઈ આંબો મેળવ્યો હતો અને તેના તેના આધારે રેવન્યુ રેકર્ડમાં તે મહિલાને ખેતીની જમીનમાં વારસદાર બનાવમાં આવી હતી. જે કૌભાંડ બાબતે સરવડ ગામના હાલના તલાટી મંત્રી દ્વારા ગત મે મહિનામાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહેશ પ્રભાશંકર રાવલ તથા બોગસ વારસાઈ આંબો બનાવનારબોગસ સોગંદનામુ બનાવનાર તથા બોગસ ખેડૂત ખાતેદાર બનેલ અને તેમાં મદદ કરનારની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ગુનાની તપાસ હાલમાં રાજકોટ ગ્રામ્ય સીઆઇડીના પીઆઇ કે.કે.જાડેજા ચલાવી રહ્યા છે અને પહેલા તેઓએ સરવડના તત્કાલિન તલાટિ મંત્રી ભરતભાઈ ખોખર અને ત્યાર બાદ સાગર આંબરામભાઈ ફૂલતરિયાની ધરપકડ કરી હતી અને તે બંને આરોપીના રિમાન્ડ પણ મેળવ્યા હતા અને રિમાન્ડ પૂરા થયા પછી તેને જેલ હવાલે કરવામાં આવેલ છે.

આ ગુનામાં હવે તપાસનીસ અધિકારી પીઆઇ કે.કે.જાડેજાએ મોરબીના 602 જમીન કૌભાંડમાં તાજેતરમાં પકડીને ગાંધીનગર સીઆઇડી ક્રાઇમની ટીમે જેલ હવાલે કરેલ આરોપી અતુલ જોશીનો જેલમાંથી કબ્જો લઈને માળીયા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બોગસ ખેડૂત ખાતેદારના કાંડમાં તેની ધરપકડ કરી છે તેવી માહિતી અધિકારી આપેલ છે અને તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ શરૂ કરવામાં આવેલ છે ઉલેખનીય છે કે, મોરબી જિલ્લાના ચકચારી 602 જમીન કૌભાંડમાં અત્યાર સુધીમાં પકડવામાં આવેલ આરોપીઓમાંથી બે આરોપીઓને ક્રમશઃ માળીયાના બોગસ ખેડૂત ખાતેદાર પ્રકરણમાં પણ પકડવામાં આવેલ છે. જેથી આ બંને કૌભાંડ હાલમાં મોરબી જિલ્લા સહિત રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલ છે.




Latest News