રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા દિવ્યાંગને વ્હીલચેર અર્પણ કરી માનવતા મહેકાવી


SHARE









મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા દિવ્યાંગને વ્હીલચેર અર્પણ કરી માનવતા મહેકાવી

ઈશ્વર દ્વારા રચવામાં આવેલ આ શ્રુષ્ટિ એક અદ્ભૂત સર્જન છે. અને તેમાં ઈશ્વર બધુ બધાને નથી આપી દેતો એ પણ એક હકીકત છે. પણ જેને પણ આપવામાં કંઈક ખામી રહી જાય તો ઈશ્વર પોતે જ કોઈને નિમિત્ત બનાવી એ નહીં આપવાની ખોટ પુરવા કોઈ કે કોઈકને પ્રેરણા આપતો રહે છે,આદેશ કરતો હોય છે.સમાજમાં આવાજ કંઈક જરૂરતમંદો, વંચીતો માટે અનેક માનવતાવાદી સેવાભાવી સંસ્થાઓ નિરંતર નિમિત્ત બની કોઈના જીવનમાં રહેલ ખોટને પુરવાના સેવાકાર્યો કરતી રહે છે.અનેક સામાજીક, સેવાકાર્યો કરતી આવીજ એક  સંસ્થા મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબી દ્વારા આવુ જ એક વધુ સેવાકાર્ય કરી માનવતા મહેકાવી છે.

દોડવુ, નાચવુ, કુદવુ કોને ને ગમે? પરંતુ ઈશ્વરે જેને પગ આપ્યા હોય પણ પછી કોઈ કારણસર છીનવાય ગયા હોય તેને દોડવુ તો શું ચાલવુ પણ અશક્ય બને ત્યારે આવાજ એક દિવ્યાંગ (અપંગ) વ્યક્તિને પગ તો ન આપી શકાય પણ પગની ખોટ પુરવા માટેનો એક વિકલ્પ મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબી દ્વારા આજે વ્હીલચેર અર્પણ કરી એક નિરાશાભરી ઝીંદગીમાં આશાનો સંચાર કર્યો હતો. તેની જીંદગીની મોટી ખોટ પુરી કરીને તે વ્યક્તિના જીવનમાં ખુશીઓનું વાવેતર કરી આપ્યુ હતુ.વ્હીલચેર અર્પણ કરતી વેળાએ સંસ્થાના સભ્યોએ "સેવા હી ધર્મ હે" નું સૂત્ર સાર્થક કરવા સાથે અન્યને પ્રેરણા સંદેશ આપ્યો હતો.






Latest News