મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

મોરબીમાં જમીનનો સોદો કરાવીને 75.75 લાખ પડાવી લઈને દસ્તાવેજ ન કરી આપ્યો !: 5 સામે ઠગાઈની ફરિયાદ


SHARE









મોરબીમાં જમીનનો સોદો કરાવીને 75.75 લાખ પડાવી લઈને દસ્તાવેજ ન કરી આપ્યો !: 5 સામે ઠગાઈની ફરિયાદ

મોરબીના નાનીવાવડી ગામે રહેતા યુવાન સાથે જમીનનો સોદો કરવામાં આવ્યો હતો અને તેની પાસેથી 75.75 લાખ રૂપિયા લઇ લેવામાં આવ્યા હતા જોકે યુવાનને જમીનનો દસ્તાવેજ કરી આપવામાં આવ્યો ન હતો અને તેની સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાને હાલમાં 5 શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબી તાલુકાના નાનીવાવડી ગામે આવેલ શીવવીલા સોસાયટીમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા મનીષભાઈ કેશવજીભાઈ મોરડીયા (37) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અશોકભાઈ રહે. બગથળા, સંદીપભાઈ માવજીભાઈ મેરજા રહે.મહેન્દ્રનગર, અકીભાઈ શાહ (ઓફિસ : આઇ.બી સી.કોમ્પ્લેક્ષ લખધીરપુર રોડના નાકે વાંકાનેર હાઇવે મોરબી-૨), કેતનભાઇ લાલજીભાઈ સંઘાણી રહે.ઘૂટું તા.મોરબી અને રાજેશભાઈ દેસાભાઇ ચૌહાણ રહે.માણેકવાડા તા.મોરબી ની સામે ફરિયાદ નોંધાવેલ છે.જેમાં જણાવ્યું છે કે નાની વાવડી ગામે આવેલ ઓમ પાર્ક સામે ફરિયાદી હતા ત્યારે પાંચે આરોપીઓએ ગુનાહિત કાવતરું કરીને તેમને જમીન બતાવી હતી અને ત્યારબાદ જમીનનો સોદો કરાવીને તેઓની પાસેથી રોકડા રૂપિયા 75.75 લાખ રૂપિયા લઇ લેવામાં આવ્યા હતા જોકે, જમીનનો દસ્તાવેજ ફરિયાદીને કરી આપવામાં આવેલ ન હતો જેથી યુવાન સાથે ઠગાઇ અને વિશ્વાસઘાત કરવામાં આવેલ હોય ભોગ બનેલ યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાનોંદ ધાવવામાં આવતા પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News