વાંકાનેરમાં ભાજપનું સંગઠ્ઠન મજબુત બનશે,જિલ્લા પ્રભારીએ શુભેચ્છા મુલાકાત મોરબીના બેલા ગામ નજીકથી યુવાનનું અપહરણ કરીને 37 હજારના મુદામાલની લૂંટ કરવાના ગુનામાં 4 આરોપીની ધરપકડ હળવદના સરંભડા ગામનો બનાવ: મોબાઇલમાં રિલ્સ જોતા યુવાનને માતાએ ઠપકો આપતા અંતિમ પગલું ભર્યું મોરબી નજીક સફાઈ કામ કરતી મહિલાને કાર ચાલકે હડફેટે લેતા કમરમાં ફ્રેકચર-ગુપ્ત ભાગે ઇજા મોરબીમાં ગોલ્ડ લોન લેવા માટે કર્મચારીને સોનાના દાગીના આપનારા યુવાન સાથે 7.50 લાખની છેતરપિંડી-વિશ્વાસઘાત મોરબીમાં જમીનનો સોદો કરાવીને 75.75 લાખ પડાવી લઈને દસ્તાવેજ ન કરી આપ્યો !: 5 સામે ઠગાઈની ફરિયાદ વાંકાનેર બાઉન્ડ્રી નજીક સોનાના સાચા દાગીના બતાવીને ખોટા ધબડી દઈને માતા-પુત્ર સાથે 5 લાખની ઠગાઇ ટંકારામાં રહેતા અને ડાક વગાડીને ડાયરા કરતા યુવાનને બોટાદના નિગાળા ગામના બે શખ્સોએ ફોન ઉપર આપી ધમકી
Breaking news
Morbi Today

હળવદના સરંભડા ગામનો બનાવ: મોબાઇલમાં રિલ્સ જોતા યુવાનને માતાએ ઠપકો આપતા અંતિમ પગલું ભર્યું


SHARE













હળવદના સરંભડા ગામનો બનાવ: મોબાઇલમાં રિલ્સ જોતા યુવાનને માતાએ ઠપકો આપતા અંતિમ પગલું ભર્યું

હળવદના સરંભડા ગામે વાડીએ મજૂરી કામ કરતો યુવાન મોબાઇલમાં રિલ્સ જોતો હતો અને મજૂરી કામ બરાબર કરતો ન હતી જેથી તેની માતાએ તે યુવાનને ઠપકો આપ્યો હતો જેથી યુવાનને મનોમન લાગી આવતા તે યુવાને વાડીની ઓરડીમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે અને આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ એમપીનો રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના સરંભડા ગામની સીમમાં કેશવલાલ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા રવિભાઈ શંકરભાઈ નાયક (25) નામના યુવાને વાડીની ઓરડીની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના ભાઈ માન્યાભાઈ શંકરભાઈ નાયક (23) રહે. હાલ સરંભડા ગામની સીમ મૂળ રહે. એમપી વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં મળતી વિગત પ્રમાણે મૃતક યુવાન મોબાઇલમાં રીલસો જોતો હતો અને મજૂરી કામમાં બરાબર કરતો ન હતો જેથી તે યુવાનને તેની માતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો જેથી યુવાનને મનોમન લાગી આવતા તેણે પોતે પોતાની જાતે વાડીની ઓરડીની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે આ બનાવની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હાર્ટ એટેકથી મોત

મોરબીમાં આવેલ ઉમાટાઉનશીપ ખાતે રહેતા રામજીભાઈ જાદવજીભાઈ ઉઘરેજા (85) પોતે પોતાના ઘરે હતા દરમિયાન હાર્ટ એટેકથી તેઓનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News