મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

વાંકાનેર માર્કેટ યાર્ડમાં ખેડૂતો-યાર્ડના શ્રમિકો માટે અકસ્માત મૃત્યુ સહાય યોજના શરૂ કરવા અશ્વિનભાઈ મેઘાણીની રજૂઆત


SHARE







વાંકાનેર માર્કેટ યાર્ડમાં ખેડૂતો-યાર્ડના શ્રમિકો માટે અકસ્માત મૃત્યુ સહાય યોજના શરૂ કરવા અશ્વિનભાઈ મેઘાણીની રજૂઆત

વાંકાનેર માર્કેટયાર્ડ ખાતે તાલુકામાંથી ખેડૂતો પોતાની જણસ વેચવા માટે થઈને આવતા ખેડૂતો તેમજ યાર્ડમાં કામ કરતા શ્રમિકોની પણ સલામતિને પ્રાધાન્ય આપવા માટેની રજૂઆત કરવામાં આવેલ છે અને કોઈપણ સમયે અકસ્માત થાય તો તેઓને અકસ્માત મૃત્યુ સહાય મળે તે માટે થઈને વાંકાનેર માર્કેટ યાર્ડની સામાન્ય સભામાં યાર્ડના ડિરેક્ટર દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

વાંકાનેર માર્કેટ યાર્ડના ડિરેક્ટર અશ્વિનભાઈ નવઘણભાઈ મેઘાણીએ જણાવ્યું હતું કે, વાંકાનેર માર્કેટયાર્ડની મુખ્ય આવક ખેડૂતો તેની જણસ યાર્ડમાં વેચાણ માટે થઈને લઈને આવે તેની શેષમાંથી થતી હોય છે ત્યારે રાત દિવસ મહેનત કરતા ખેડૂતો અને માર્કેટયાર્ડમાં ખેડૂતોની જે જણસ આવે તેને ઉતારવાથી લઈને તેના વેચાણ સુધીના કામમાં કામ કરતા યાર્ડના શ્રમિકોની સલામતીને પ્રાધાન્ય આપવામાં આવે તે જરૂરી છે અને માર્કેટયાર્ડ ખાતે વેચાણ કરવા માટે આવતા તમામ ખેડૂતોને અકસ્માત મૃત્યુ સહાય આપવામાં આવે અને મજૂરને પણ અકસ્માત મૃત્યુ સહાયનો લાભ આપવામાં આવે તેના માટે આ યોજનાને શરૂ કરવામાં આવે તેવી તેઓએ લેખિતમાં માર્કેટ યાર્ડના ચેરમેનને રજૂઆત કરેલ છે વધુમાં માહિતી આપતા તેઓએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લાના હળવદ અને મોરબી બંને યાર્ડની અંદર આ યોજના ચાલુ છે આ ઉપરાંત રાજ્યના અન્ય યાર્ડમાં પણ આ પ્રકારે ખેડૂતો માટે અકસ્માત મૃત્યુ સહાય આપવાની યોજના અમલમાં છે અને ખાસ કરીને અગાઉ વાંકાનેર યાર્ડમાં પણ આ યોજના ચાલુ હતી પરંતુ છેલ્લા ઘણા સમયથી તે બંધ છે જેને વહેલી તકે ચાલુ કરવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News