મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી : આયુષ હોસ્પિટલના યુરોલોજી વિભાગમાં દર્દીની સફળ સર્જરી


SHARE











મોરબી : આયુષ હોસ્પિટલના યુરોલોજી વિભાગમાં દર્દીની સફળ સર્જરી

૭૦ વર્ષના દર્દી, જેમને જમણા પડખામાં દુખાવો, પેશાબમાં બળતરા, ઉલ્ટી જેવા લક્ષણો હતા.તે આયુષ હોસ્પિટલમાં બતાવા માટે આવેલા. જ્યાં ડૉ.કેયુર પટેલ સાહેબ દ્વારા આગળ સી.ટી.સ્કેન કરતા જણાયું કે દર્દીની જમણી કીડનીની નળીમાં પથરી ફસાઈ ગયેલ છે.દર્દીને પથરી લાંબા સમયથી ફસાયેલ હોવાથી જમણી કીડનીમાંથી પેશાબ નીચે ઉતરતો અટકી ગયો હતો અને કીડની ફૂલાઈ ગયેલી હતી.આગળ D.T.P.A. સ્કેન કરતા જણાયું કે દર્દીની જમણી કીડની કામ કરતી બંધ થઈ અને તેમાં રસી થઇ ગઈ હતી.

ત્યારબાદ ડૉ.કેયુર પટેલ સાહેબ દ્વારા દર્દીને ઓપેરેશન (Laproscopic Nephrectomy) કરવાની સલાહ આપવામાં આવી હતી.દર્દી અને તેમના સગા દ્વારા ઓપરેશનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ડૉ.કેયુર પટેલ દ્વારા દૂરબીનથી જમણી કીડની કાઢવાનું (Laproscopic Nephrectomy) જેવું જટિલ ઓપરેશન કરવામાં આવ્યુ હતુ.ઓપરેશનના બીજા દિવસે દર્દીને કોઈ પ્રકારનો દુખાવો ન હતો.તેમને ચાલવાની અને જમવાની પણ છૂટ આપવામાં આવી.અને ત્રીજા જ દીવસે દર્દીને હસતા મોઢે હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી હતી.






Latest News