વાંકાનેર પાલિકાનો ગઢ ભાજપે 21 બેઠક સાથે જાળવી રાખ્યો: 3 બેઠક બસપા-4 બેઠક કોંગ્રેસ ટંકારા પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો: 18 બેઠક ઉપર ભાજપ-6 બેઠક ઉપર કોંગ્રેસનો વિજય કોંગ્રેસનાં ગઢમાં ગાબડું: માળીયા (મી) પાલિકાની 17 બેઠક ઉપર કોંગ્રેસ-7 માં ભાજપનો વિજય ઐતિહાસિક વિજયનું પુનરાવર્તન: મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં પંજો-સવારણાને જાકારો, 52 ને 52 બેઠક ઉપર ભગવો લહેરાયો મેજર અપસેટ: મોરબી જિલ્લા પંચાયતની 24 પૈકી 17 બેઠક ઉપર ભાજપ હોવા છતાં પ્રમુખ કોંગ્રેસમાંથી આવશે મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ઐતિહાસિક વિજય: વિજેતા બનેલા ઉમેદવારોના નામ મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં વોર્ડ નંબર 1, 5 અને 10 ની ભાજપની પેનલનો વિજય, મહાપાલિકામાં ભગવો લહેરાશે માળીયા મિંયાણામાં વડીલો પાર્જીત મિલ્કત બાબતે યુવાન, તેના પત્ની અને બે દીકરીઓ સાથે ત્રણ મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓએ માર માર્યો: એક યુવતીને હાથમાં બચકું ભરી લીધું
Breaking news
Morbi Today

મોરબીના પાનેલી રોડે કારખાના નજીક પાણીના ખાડામાં ડૂબી જવાથી બે સગા ભાઈ-બહેન સહિત ત્રણ બાળકના મોત


SHARE













મોરબીના પાનેલી રોડે કારખાના નજીક પાણીના ખાડામાં ડૂબી જવાથી બે સગા ભાઈ-બહેન સહિત ત્રણ બાળકના મોત

મોરબી તાલુકાના પાનેલી રોડ ઉપર આવેલ કારખાનાની બહાર પાણીનો ખાડો ભરેલો હતો જ્યાં ત્રણ બાળકો રમી રહ્યા હતા. દરમિયાન કોઈ કારણોસર તે પાણીમાં ડૂબી ગયા હતા જેથી કરીને તે ત્રણેય બાળકોના મોત નિપજ્યા હતા. ત્યારબાદ તે ત્રણેય બાળકોના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ છે.

મોરબી તાલુકાના પાનેલી ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ આરક્રોસ માઇક્રોન કારખાનાની બહારના ભાગમાં પાણીનો ખાડો ભરેલો હતો. ત્યાં ગઇકાલે બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં બાળકો રમતા હતા દરમ્યાન પ્રતિજ્ઞા ભુરાભાઈ જમરા (5)કુલદીપ કૈલાશભાઈ દાવર (6) અને ખુશ્બુ કૈલાશભાઈ દાવર (4) નામના ત્રણ બાળકો કોઈ કારણોસર ત્યાં પાણીના ખાડામાં ડૂબી ગયા હતા જેથી તેને સ્થાનિક લોકોએ પાણીમાંથી તાત્કાલિક બહાર કાઢ્યા હતા અને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને ત્રણેય બાળકોને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. અને મૃતક બાળકોમાં બે સગા ભાઈ બહેન છે અને અન્ય એક બાળકીનો સમાવેશ થાય છે આમ ત્રણ માસુમ બાળકોના મોત થવાથી પરપ્રાંતિય પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે






Latest News