મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યામોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું
Breaking news
Morbi Today

મોરબી  જિલ્લામાં સહાકારી ક્ષેત્ર સાથે જોડાયેલા ૯૦ હજાર લોકો તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ધારાસભ્યોએ લખ્યા વડાપ્રધાનને પોસ્ટ કાર્ડ


SHARE













મોરબી  જિલ્લામાં સહાકારી ક્ષેત્ર સાથે જોડાયેલા ૯૦ હજાર લોકો તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ધારાસભ્યોએ લખ્યા વડાપ્રધાનને પોસ્ટ કાર્ડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુકાન હેઠળમાં દેશમાં થયેલ વિકાસ અને સુખાકારીમાં થયેલ વધારા બદલ મોરબી જિલ્લામાં સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા ૯૦ હજાર જેટલા નાગરિકોએ વડાપ્રધાનશ્રીને પોસ્ટ કાર્ડ લખી તેમનો આભાર વ્યકત કર્યો છે.

વડાપ્રધાનના દુરંદેશી વિઝન થકી તથા નવા જીએસટી સુધારા મધ્યમ વર્ગ માટે ખૂબ જ રાહતરૂપ બન્યા છે. દૈનિક ઉપયોગની અનેક ચીજ વસ્તુઓ સસ્તી મળવાથી મધ્યમ વર્ગના પરિવારનો ખર્ચ ઘટ્યો છે અને બચત શક્ય બની છે. આવકવેરાની મર્યાદા રૂ. ૧૨ લાખ કરી જીએસટીના દર ઘટાડી અને સ્વદેશીને બળ આપીને આપે તમામ વર્ગો માટે નવી ક્રાંતિ શરૂ કરી છે. સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે કરેલ પહેલ માટે દેશમાં નાના પાયાન ઉદ્યોગોનો ખુબ વિકાસ થયેલ છે જેનાથી દેશની આમ જનતાને સિધો લાભ થયેલ છે અને છેવાડાના દરેક ગ્રમ્ય વિસ્તારના દરેક પ્રજાજનોની સુખાકારીમાં વધારો થયેલ છે. વડાપ્રધાનના નેતૃત્વમાં ખેડૂતોને તેની ઉપજનો ખરો તોલ થાય, તેને ઉત્પન્ન કરેલ ખેત જણસીનો પુરતો ભાવ મળી રહે તેવા ઉદ્દેશથી દેશના માર્કેટીંગ યાર્ડોમાં પાયાની સગવડો ઉભી કરી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવા હેતુથી સરકાર તરફથી APMC ના આધુનીકરણ માટે અલગ અલગ યોજનાઓ હેઠળ સહાય આપી માર્કેટીંગ યાર્ડોને સુદૃઢ બનાવવામાં આવ્યા છે.

આજની પરિસ્થિતિમાં પશુપાલન વ્યવસાય ખેતી સાથે સીધો સંકળાયેલો છે અને પશુપાલનમાં ગ્રામ્ય કક્ષાએ દરેક પરીવારની મહિલાઓનો સૌથી વધારે ફાળો રહેલો છે. વડાપ્રધાનના સુકાન હેઠળ દેશની દરેક મહિલાઓ પગભર થાય, આર્થિક રીતે સક્ષમ બને અને તેમના પરીવારના ભરણ-પોષણ તેમજ તેમના બળકોના ભવિષ્યમાં આગવુ સ્થાન મેળવે તે માટે દૂધ સહકારી મંડળીઓને સુદૃઢ બનાવવા માટે નિર્ણયો કરવામાં આવ્યા છે. ત્યારે મોરબી જિલ્લામાં સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા અનેક નાગરિકોએ વડાપ્રધાનશ્રીને પોસ્ટ કાર્ડ લખી સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. ઉપરાંત મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, ધારાસભ્ય કાંતીલાલ અમૃતીયા અને જિતેન્દ્રભાઈ સોમાણી, મોરબી જિલ્લા માર્કેટીંગ યાર્ડના હોદ્દેદારો અને મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંઘના પ્રમુખ સંગીતબેન દ્વારા દેશના વડાપ્રધાનને પોસ્ટ કાર્ડ લખી આભાર માનવામાં આવ્યો છે.








Latest News