મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

હળવદ નજીકથી 32 પાડાને કચ્છથી અમદાવાદ બાજુ કતલખાતે લઈ જતું આઇસર ઝડપાયું


SHARE







હળવદ નજીકથી 32 પાડાને કચ્છથી અમદાવાદ બાજુ કતલખાતે લઈ જતું આઇસર ઝડપાયું

માળીયા અમદાવાદ હાઇવે ઉપરથી આઇસરમાં અબોલ જીવને ભરીને અમદાવાદ બાજુ કતલ કરવા માટે લઈ જવાના છે તેવી બાતમી મોરબી અને હળવદ  ગૌરક્ષક, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિતની સંસ્થાઓના આગેવાનોને મળી હતી જેના આધારે વોચ રાખવામા આવી હતી અને હળવદ પોલીસના સહયોગથી આઇસરને રોકીને ચેક કરતાં તેમાંથી કતલ ખાને લઈ જવાતા 32 પાડા મળી આવ્યા હતા જેને બચાવી લેવામાં આવ્યા હતા અને આ બાબતે ફરિયાદ લેવા માટેની તજવીજ કરવામાં આવી રહી છે.

મોરબી અને હળવદના ગૌરક્ષકવિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત, હિન્દુ યુવા વાહિની  ગૌરક્ષકને માહિતી મળી હતી કે, કચ્છ બાજુથી માળીયા થઈને  અમદાવાદ બાજુ કતલ કરવા માટે આઇસર ગાડીમાં અબોલ જીવને લઈ જવાના છે જેથી કરીને ગૌ રક્ષકો દ્વારા વોચ રાખવામા આવી હતી અને મળેલ બાતમી મુજબનું આઇસર નંબર જીજે 23 વી 4648  પસાર થઈ રહ્યું હતું તેનો પીછો કરીને આઈસર ગાડીને રોકવામાં આવી હતી અને હળવદ પોલીસના સહયોગથી તે ગાડીને ચેક કરવામાં આવી હતી ત્યારે કચ્છ બાજુથી અબોલ જીવને વાહનમાં ભરીને અમદાવાદમાં કતલ કરવાના ઇરાદે લઇ જવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું આ ગાડીમાં 32 પાડાને ક્રૂરતા પૂર્વક બાંધીને લઈ જવામાં આવ્યા હતા જેથી કરીને બાબતે વાહન ચાલકની પૂછપરછ કરતા તેને પાસે અબોલ જીવને લઈ જવા માટેની કોઈપણ પરમિટ ન હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી.






Latest News