હળવદમાં હોટલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બાળકનું મોત મોરબી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં POSH Act–2013 અન્વયે જાગૃતિ સેમિનાર યોજાયા મોરબી RTO માં ટુ-વ્હીલરની નવી સીરીઝમાં પસંદગીના નંબર મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે મોરબીની એલ.ઇ. ડિગ્રી કોલેજ ખાતે ૨૮ જુલાઈએ UPSC/GPSC અને સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાશે મોરબીના લાતી પ્લોટમાં નજીવા વરસાદ પછી ગારો, કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય: વેપારીઓ-ઉદ્યોગકારો સહિતના ત્રાહિમામ આમા જાનવર કોણ ?: મોરબીમાં રસ્તે રજડતા શ્વાનને પથ્થરનો ઘા મારીને આંખ ફોડી નાખી મોરબીના રામધન આશ્રમ ખાતે ગેટનું ધોરીયાણી પરિવાર દ્વારા કરાયું લોકાર્પણ મોરબી ગાયત્રી પરિવાર દ્વારા માનસર ગામે પર્યાવરણ સંવર્ધન મહાઅભિયાન-મયુર નેચર ક્લબ, વન વિભાગ દ્વારા ફ્રી રોપા વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનના સમર્થનમાં આજે હળવદ માર્કેટ યાર્ડ સદંતર બંધ


SHARE







મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનના સમર્થનમાં આજે હળવદ માર્કેટ યાર્ડ સદંતર બંધ

મોરબી જિલ્લાના હળવદ માર્કેટ યાર્ડના વેપારીઓ દ્વારા આજે માર્કેટ યાર્ડ બંધ રાખવામાં આવ્યું છે અને યાર્ડમાં હરાજી સહિતની કામગીરી સદંતર બંધ રાખવામાં આવેલ છે અને વેપારીઓ દ્વારા જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનના સમર્થનમાં યાર્ડ બંધ રાખવામાં આવ્યું છે તેમજ સાંજે વેપારીઓ દ્વારા હળવદ થી લઈને જેતપર ગામે આવેલ ઉપવાસી છાવણી સુધીની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીના જેતપર ગામે છેલ્લા 14 દિવસથી ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપનીના વીજપોલ સામે પૂરતું વળતર મેળવવાની માંગ સાથે આમરણાંત ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે દરમિયાન આજે 14 માં દિવસે મોરબી જિલ્લાના હળવદમાં આવેલ માર્કેટ યાર્ડને વેપારીઓ દ્વારા બંધ રાખવામાં આવ્યું છે અને યાર્ડમાં હરરાજી સહિત તમામ કામકાજ બંધ રાખીને હળવદ યાર્ડના તમામ વેપારીઓ દ્વારા જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન આપવામાં આવ્યું છે અને ખેડૂતો દ્વારા તેઓના ખેતરની અંદર જે ખાનગી વીજ કંપનીના વીજપોલ ઊભા થાય છે તેની સામે તેઓને પૂરતું વળતર આપવામાં આવે તેવી જે માંગ કરવામાં આવી રહી છે તે માંગ વહેલામાં વહેલી તકે સરકાર દ્વારા દરમિયાનગીરી કરીને પૂર્ણ કરવામાં આવે તેવી લાગણી હળવદ યાર્ડના વેપારીઓએ વ્યક્ત કરી છે આટલું જ નહીં પરંતુ આજે સાંજે હળવદ માર્કેટયાર્ડ ખાતેથી વેપારીઓ દ્વારા કાર, બાઇક અને ટ્રેક્ટર સાથે જેતપર ગામે આવેલ ખેડૂતોની ઉપવાસિ છાવણી સુધીની એક  રેલીનુ આયોજન કરવામાં આવ્યું છે જેમાં વેપારીઓ, ખેડૂતો સહિતના લોકો જોડાશે આટલું જ નહીં પરંતુ હવે જો ખેડૂતોના આંદોલનનો નજીકના દિવસોમાં અંત નહીં આવે તો આગામી સમયમાં હળવદ યાર્ડને આંદોલન ન સમેટાઈ ત્યાં સુધી બંધ રાખવા માટેની પણ તૈયારી હળવદ યાર્ડના વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવેલ છે.






Latest News