મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનના સમર્થનમાં આજે હળવદ માર્કેટ યાર્ડ સદંતર બંધ


SHARE





મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનના સમર્થનમાં આજે હળવદ માર્કેટ યાર્ડ સદંતર બંધ

મોરબી જિલ્લાના હળવદ માર્કેટ યાર્ડના વેપારીઓ દ્વારા આજે માર્કેટ યાર્ડ બંધ રાખવામાં આવ્યું છે અને યાર્ડમાં હરાજી સહિતની કામગીરી સદંતર બંધ રાખવામાં આવેલ છે અને વેપારીઓ દ્વારા જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનના સમર્થનમાં યાર્ડ બંધ રાખવામાં આવ્યું છે તેમજ સાંજે વેપારીઓ દ્વારા હળવદ થી લઈને જેતપર ગામે આવેલ ઉપવાસી છાવણી સુધીની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીના જેતપર ગામે છેલ્લા 14 દિવસથી ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપનીના વીજપોલ સામે પૂરતું વળતર મેળવવાની માંગ સાથે આમરણાંત ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે દરમિયાન આજે 14 માં દિવસે મોરબી જિલ્લાના હળવદમાં આવેલ માર્કેટ યાર્ડને વેપારીઓ દ્વારા બંધ રાખવામાં આવ્યું છે અને યાર્ડમાં હરરાજી સહિત તમામ કામકાજ બંધ રાખીને હળવદ યાર્ડના તમામ વેપારીઓ દ્વારા જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન આપવામાં આવ્યું છે અને ખેડૂતો દ્વારા તેઓના ખેતરની અંદર જે ખાનગી વીજ કંપનીના વીજપોલ ઊભા થાય છે તેની સામે તેઓને પૂરતું વળતર આપવામાં આવે તેવી જે માંગ કરવામાં આવી રહી છે તે માંગ વહેલામાં વહેલી તકે સરકાર દ્વારા દરમિયાનગીરી કરીને પૂર્ણ કરવામાં આવે તેવી લાગણી હળવદ યાર્ડના વેપારીઓએ વ્યક્ત કરી છે આટલું જ નહીં પરંતુ આજે સાંજે હળવદ માર્કેટયાર્ડ ખાતેથી વેપારીઓ દ્વારા કાર, બાઇક અને ટ્રેક્ટર સાથે જેતપર ગામે આવેલ ખેડૂતોની ઉપવાસિ છાવણી સુધીની એક  રેલીનુ આયોજન કરવામાં આવ્યું છે જેમાં વેપારીઓ, ખેડૂતો સહિતના લોકો જોડાશે આટલું જ નહીં પરંતુ હવે જો ખેડૂતોના આંદોલનનો નજીકના દિવસોમાં અંત નહીં આવે તો આગામી સમયમાં હળવદ યાર્ડને આંદોલન ન સમેટાઈ ત્યાં સુધી બંધ રાખવા માટેની પણ તૈયારી હળવદ યાર્ડના વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવેલ છે.




Latest News