મોરબી જિલ્લામાં જમીન દફતર ખાતાની સેવાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ: નાગરિકોની સુવિધા માટે નવી ૬ કચેરીઓ કાર્યરત વિદેશ અભ્યાસ લોન બની પથદર્શક: હળવદ તાલુકાનાં મનીષ જાદવનું જર્મનીમાં ભણવાનું સપનું થયું સાકાર નમો સ્વચ્છતા અભિયાનનો મોરબી મનપાના મેયર ઉત્તમ સુરાણી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં પ્રારંભ મોરબી જિલ્લામાં સહકાર થી સમૃદ્ધિના સંકલ્પ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું  સરકાર જે નિર્ણય લેવા માંગતી હોય તે વહેલી તકે જાહેર કરે નહીં તો આંદોલન ઉગ્ર બનશે: મોરબીના જેતપર ગામેથી આંદોલન સમિતિ સભ્યની ચેતાવણી ખેડૂતોના ખેતરમાં વીજપોલ ઊભા થવાથી આપઘાત કરવા પડે તેવો ઘાટ: હળવદ માર્કેટ યાર્ડને વેપારીઓ-ખેડૂતોનો બાઇક-કાર રેલી સાથે અનોખો વિરોધ મોરબી : આયુષ હોસ્પિટલના ડૉ.સત્યજીતસિંહ જાડેજાની વધુ એક ક્રિટિકલ કેર ક્ષેત્રે અભૂતપૂર્વ અને નોંધપાત્ર સિદ્ધિ મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનના સમર્થનમાં આજે હળવદ માર્કેટ યાર્ડ સદંતર બંધ
Breaking news
Morbi Today

મોરબી : આયુષ હોસ્પિટલના ડૉ.સત્યજીતસિંહ જાડેજાની વધુ એક ક્રિટિકલ કેર ક્ષેત્રે અભૂતપૂર્વ અને નોંધપાત્ર સિદ્ધિ


SHARE









મોરબી : આયુષ હોસ્પિટલના ડૉ.સત્યજીતસિંહ જાડેજાની વધુ એક ક્રિટિકલ કેર ક્ષેત્રે અભૂતપૂર્વ અને નોંધપાત્ર સિદ્ધિ

હૃદય બંધ પડેલા વેન્ટિલેટર ઉપરના દર્દીને સફળ પ્રયાસોથી બચાવ્યો જીવ, દર્દીને પુન:ર્જીવન

23 જૂન, 2026, ના રોજ એક 60 વર્ષના દર્દી આયુષ હોસ્પિટલમા ઈમરજન્સી વિભાગમાં આવ્યા, ત્યારે ડો. સત્યજીતસિંહ જાડેજા સાહેબ દ્વારા તપાસ કરતા જણાયુ કે દર્દીનું હ્રદય બંધ પડી ગયુ છે, શ્વાસ અટકી ગયો છે, આથી દર્દીની  મરણાવસ્થાને ધ્યાનમાં લેતા તાત્કાલિક આયુષ હોસ્પિટલની ટીમ દ્વારા તેમને CPR આપીને દર્દીનું બંધ પડી ગયેલું હ્રદય ફરીથી ધબકતુ કરવામાં આવ્યુ અને દર્દીને તાત્કાલિક વેન્ટિલેટર પર લેવામાં આવ્યા, આગળ ઊંડાણમાં તપાસ કરતા જણાયુ કે દર્દી ના હ્રદય,ફેફસાં, કિડની આમ શરીર ના ખૂબજ મહત્ત્વના ત્રણેય અંગોમા ખૂબજ મોટું ડેમેજ થયેલુ હતુ, દર્દીના શરીરમાં ઝેરી CO2 વાયુ નું લેવલ ખૂબજ વધી ગયુ હતુ, લોહીમા એસિડ નું પ્રમાણ અતિશય વધી ગયુ હતુ, લોહીની ટકાવારી પણ અત્યંત ઓછી હતી, આમ દર્દીની આટલી બધી જીવલેણ બીમારીઓ એક સાથે લાગુ પડેલી હોવા છતા આયુષ હોસ્પિટલમા ડો. સત્યજીતસિંહ જાડેજાની સચોટ સારવારના પગલે દર્દીને ખૂબ સારુ થય જતા માત્ર 8 દિવસમાં દર્દીની હોસ્પિટલમાંથી હસતા મોઢે રજા આપવામાં આવી હતી. 

અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકારના મરણાસન્ન અવસ્થામાં આવેલા કેસ ક્રિટિકલ કેર ક્ષેત્રે ખૂબજ પડકારજનક માનવામાં આવે છે અને આવા અનેક કેસમાં આયુષ હોસ્પિટલમાં ડો. સત્યજીતસિંહ જાડેજાની આગેવાનીમાં અનેક દર્દીઓ ને નવજીવન આપી દર્દી અને તેમના પરિવારને સતત આશાની સાથે ખુશી આપવામાં આવી છે.






Latest News