મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના જીવાપર પાસે પાઇપ લાઇન પથવાના કામમાં કોન્ટ્રાકટરની ઘોર બેદરકારી: ખેડૂતોને નુકશાન


SHARE











મોરબીના જીવાપર પાસે પાઇપ લાઇન પથવાના કામમાં કોન્ટ્રાકટરની ઘોર બેદરકારી: ખેડૂતોને નુકશાન

મોરબીના જીવાપર ગામ પાસે એલ ટી કંપની દ્વારા પાઇપ લાઇન પથવાનું કામ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહ્યું છે જે પાઈપ લાઈનનું કામ અધુરું હોવાથી ખેડૂતોને મુશ્કેલીનો  સામનો કરવો પડે છે અને ખેડૂતોને નુકશાન પણ જાય છે જેથી બેદરકાર કોન્ટ્રાકટર સામે યોગ્ય કાર્યવાહી કરવા માટે અને ખેડૂતોને થયેલ નુકશાનીનું વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબી નજીકના જીવાપર ઘોડાધ્રોઈ નદીથી પાવડિયારી સુધીની આશરે ૩ કીમી નર્મદા નહેરની ધાંગધ્રા શાખાની બાજૂમાં એલ ટી કંપની મારફતે લોખંડની પાઈપ નાંખવાની કામગીરી છેલ્લા બે વર્ષથી કરવામાં આવી રહી છે જેમાં પાંચ વખત પેટા કોન્ટ્રાકટરો બદલાય ગયા છે અને કટકે કટકે નવેસરથી કામ શરૂ કરવામાં આવે છે ત્યારે કુલ પાંચ વખત ખેડૂતોની પીવીસી પાઈપ કોન્ટ્રાકટરમાં માણસો દ્વારા તોડીને ખોદાણકામ અને પુરાણકામ કરેલ છે અને વારંવાર ખેડૂતોને પિયત ચાલું હોવા છતાં જાતે પાઈપ છોડાવી અને ફરી ફિટ કરવી પડે છે અને ખેડૂતો હાજર ન હોય ત્યારે આડેધડ કામ કરીને પાઈપ લાઈન તોડી નાખવામાં આવે છે અને ખેતરોમાં રહેલ પાકને નુકશાન કરે છે

હાલમાં જે લોખંડની મોટી પાઈપ લાઇન નાખે છે તેને જમીનમાં પાંચ ફૂટ નીચે દાટવાની છે તે હવા ભરાવાથી જમીનથી બહાર ૩ ફુટે ઉપર આવી ગયેલ છે . જેથી ખેડૂતોની પીવીસી પાઈપ તોડી નાંખેલ છે અને લોખંડની પાઈપ હવે નીચે જતી નથી અને ફકત કોટીંગવાળા મોડા આવવાના કારણે પાઇપ લાઇન દાટેલ ન હોવાથી ખેડૂતોને નુકશાન થાય છે આટલું જ નહીં ચોમાસાના પાણીનો નિકાલ બંધ થઈ ગયેલ છે આ માટે અગાઉ રજૂઆતો કરવામાં આવી છે તો પણ તેનું નહિવત અને આંશિક પરિણામ આવ્યું હતું આજ સુધી ખેડુતોએ પુરતો સહકાર આપ્યો છે હવે ખેડૂતોની સહન શક્તિની હદ આવી ગઈ છે અને આ સામુહિક સમસ્યા હોવાથી ગંભિર સ્વરૂપ ધારણ કરી શકે છે અને કોન્ટ્રાક્ટર કામ અધુરું મૂકી જતા રહ્યા છે ત્યારે સમય મર્યાદાને ધ્યાને લઈ વર્ક ઑર્ડર મુજબ કામ પૂરું કરાવવા અને બગડેલા રોડ રસ્તાવોકળા મુળ સ્થિતિમાં કરી આપવા રજૂઆત કરવામાં આવી છે 






Latest News