જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર છવાયો આનંદ: મોરબીના ભોરણીયા પરિવારની સેવાકીય પહેલ મોરબી વાવડી ચોકડીથી પંચાસર રોડ વચ્ચે એક મહિનાથી બોલેરો કાર બની જોખમ, તંત્રની બેદરકારી સામે સવાલ હળવદના કડીયાણા ગામે ગોચરની જમીનમાંથી થતી ગેરકાયદે ખનીજ ચોરી રોકવા સરપંચ-તલાટિએ કરી ટીડીઓ-મામલતદારને રજૂઆત  હળવદ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો મોરબીમાં પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા ભૂદેવો માટે નિઃશુલ્ક જનોઈ વિતરણનું આયોજન મોરબી શહેર સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ પદે રાજેશકુમાર જોશીની સર્વાનુમતે વરણી મોરબી જિલ્લાના રાણેકપર ગામના ખેડૂતોને એમઆરસી કમિટીમાં ભાવ નક્કી થયા બાદ વીજપોલ-કોરિડોર સામે વળતરમાં તોતિંગ વધારો મોરબી જીલ્લામાં 10 પીઆઇની આંતરિક બદલી
Breaking news
Morbi Today

મોરબીમાં પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા ભૂદેવો માટે નિઃશુલ્ક જનોઈ વિતરણનું આયોજન


SHARE





મોરબીમાં પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા ભૂદેવો માટે નિઃશુલ્ક જનોઈ વિતરણનું આયોજન

પવિત્ર શ્રાવણ માસ તથા બળેવરક્ષાબંધન પર્વ નિમિત્તે મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા મોરબી શહેરના બ્રહ્મભૂદેવો માટે નિઃશુલ્ક જનોઈ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં તા 23/8 ને રવિવારના રોજ મોરબી શહેરમા જુદાજુદા 5 સ્થળોએ જનોઈ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સામાંકાંઠે અગ્નેશ્વર મહાદેવ મંદિર, લખધીરવાસમા સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ હોલ, નવલખી રોડ પાસે આવેલ બ્રહ્મપુરી સોસાયટી અને વાઘપરામા આવેલ ગાયત્રી મંદિર ખાતે સવારે 9 : 00 થી 11 : 00 અને નવલખી રોડ ઉપર આવેલ શ્રી પરશુરામ ધામ મંદિર ખાતે સાંજે 6 : 00 થી 8 : 00 કલાક સુધી જનોઈનું વિતરણ કરવામાં આવશે. જેથી જે ભૂદેવો જનોઈ લેવા માટે આવે તેઓએ આધારકાર્ડ અથવા અન્ય ફોટો આઈડી સાથે લાવવા અપીલ કરવામાં આવી છે. અને જનોઈનો સ્ટોક ઉપલબ્ધ રહેશે ત્યાં સુધી જ વિતરણ કરવામાં આવશે. તેવું પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ કૌશલભાઈ મહેતા (70697 69859), મહામંત્રી ધર્મભાઈ રાવલ (99241 57044) અને મહામંત્રી વિશ્વાસભાઈ જોશી (99796 13433)એ જણાવ્યુ છે.




Latest News