મોરબીમાં આતા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓએ વિધાનસભાની શૈક્ષણિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં ભાજપ પરિવાર દ્વારા પંજાબની ઘટનાના વિરોધમાં ધરણાં યોજાયા: કોંગ્રેસને સદબુદ્ધિ માટે કરી પ્રાર્થના


SHARE













મોરબીમાં ભાજપ પરિવાર દ્વારા પંજાબની ઘટનાના વિરોધમાં ધરણાં યોજાયા: કોંગ્રેસને સદબુદ્ધિ માટે કરી પ્રાર્થના

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાઅને પંજાબમાં રોકવાની ઘટનાના સમગ્ર ભારત દેશની અંદર ઘેરા પ્રત્યાઘાતો પડયા છે અને ભાજપ પરિવાર દ્વારા પંજાબ સરકારની વ્યવસ્થા અને કોંગ્રેસ સામે અણીદાર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તેની વચ્ચે મોરબીના ગાંધીબાગ પાર્કીંગની અંદર જિલ્લા ભાજપ અને શહેર ભાજપ પરિવાર દ્વારા કોંગ્રેસને ભગવાન સદબુદ્ધિ આપે તે માટે થઈને પ્રાર્થના કરવામાં આવી હતી અને પંજાબમાં બનેલી ઘટનાના વિરોધમાં ધરણાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, મહામંત્રી જયુભા જાડેજા,  ઉપપ્રમુખ હસુભાઈ પંડ્યા, મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઈ જારીયા, મહામંત્રી ભાવેશભાઈ કણજારીયા, મોરબી પાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સંગીતાબેન ભીમાણી, મોરબી નગરપાલિકાના ચેરમેનો તેમજ ચૂંટાયેલા સદસ્યો તેમજ ભાજપ પરિવારના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને તેઓએ કોંગ્રેસને ભગવાન સદબુદ્ધિ આપે તે માટે રામધૂન બોલાવી હતી








Latest News