મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં ભાજપ પરિવાર દ્વારા પંજાબની ઘટનાના વિરોધમાં ધરણાં યોજાયા: કોંગ્રેસને સદબુદ્ધિ માટે કરી પ્રાર્થના


SHARE











મોરબીમાં ભાજપ પરિવાર દ્વારા પંજાબની ઘટનાના વિરોધમાં ધરણાં યોજાયા: કોંગ્રેસને સદબુદ્ધિ માટે કરી પ્રાર્થના

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાઅને પંજાબમાં રોકવાની ઘટનાના સમગ્ર ભારત દેશની અંદર ઘેરા પ્રત્યાઘાતો પડયા છે અને ભાજપ પરિવાર દ્વારા પંજાબ સરકારની વ્યવસ્થા અને કોંગ્રેસ સામે અણીદાર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તેની વચ્ચે મોરબીના ગાંધીબાગ પાર્કીંગની અંદર જિલ્લા ભાજપ અને શહેર ભાજપ પરિવાર દ્વારા કોંગ્રેસને ભગવાન સદબુદ્ધિ આપે તે માટે થઈને પ્રાર્થના કરવામાં આવી હતી અને પંજાબમાં બનેલી ઘટનાના વિરોધમાં ધરણાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, મહામંત્રી જયુભા જાડેજા,  ઉપપ્રમુખ હસુભાઈ પંડ્યા, મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઈ જારીયા, મહામંત્રી ભાવેશભાઈ કણજારીયા, મોરબી પાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સંગીતાબેન ભીમાણી, મોરબી નગરપાલિકાના ચેરમેનો તેમજ ચૂંટાયેલા સદસ્યો તેમજ ભાજપ પરિવારના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને તેઓએ કોંગ્રેસને ભગવાન સદબુદ્ધિ આપે તે માટે રામધૂન બોલાવી હતી






Latest News