મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીનાં યુવાન પાસે પઠાણી ઉઘરાણી કરનારા વધુ એક વ્યાજખોરોની ધરપકડ


SHARE













મોરબીનાં યુવાન પાસે પઠાણી ઉઘરાણી કરનારા વધુ એક વ્યાજખોરોની ધરપકડ

મોરબીનાં કેરાળા (હરીપર) ગામે રહેતા યુવાને વ્યાજે નાણાં લીધા હતા અને બાદમાં વ્યાજ અને મુદલ ચૂકવવા માટે તેને સમયાંતરે વ્યાજખોરના ત્રાસથી બચવા માટે જુદાજુદા વ્યક્તિઓ પાસેથી વ્યાજે નાણાં લીધા હતા જે ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે

મોરબીનાં કેરાળા (હરીપર) ગામે રહેતા અરવિંદ પ્રેમજીભાઇ ચરોલાએ મોરબી તાલુકા પોલીસે અગાઉ સાત શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી અને તેમાં તેણે જણાવ્યું હતુ કેવ્યાજે લીધેલા નાણાં ચૂકવવા માટે જુદાજુદા લોકો પાસેથી તેને વ્યાજે નાણાં લીધા હતા તો પણ વ્યાજખોરો દ્વારા તેની પાસે પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી હતી જેથી તેને સાત શખ્સોની સામે ફરિયાદ નોધાવી હતી જે ગુનામાં અગાઉ પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી હતી હાલમાં આ ગુનામાં સુમીત મુળજીભાઇ ચારોલા (૩૦) રહે, રવાપર રોડ રામભક્તિ એપાર્ટમેન્ટ વાળાની ધરપકડ કરેલ છે અને ભાવેશ બાવાજી નામના શખ્સને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

 વૃદ્ધા સારવારમાં

મોરબીના દલવાડી સર્કલની પાસે વાહન અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ અજાણ્યા ૭૦ વર્ષિય વૃદ્ધાને ૧૦૮ વડે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જેથી કરીને એ ડિવિઝન પોલીસ મથકનાં એચ.એમ.ચાવડાએ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબી રાજકોટ હાઇવે ઉપર વીરપર પાસે આવેલ નવયુગ સંકુલ નજીક મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મોરબીના કેનાલ રોડ જય અંબે સોસાયટીમાં રહેતા સ્મિત મહેશભાઈ ઘોડાસરા નામના ૧૮ વર્ષીય યુવાનને ઇજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો.બનાવને પગલે એ ડિવિઝન પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં બેને ઈજા

માળિયા મિંયાણાના રહેવાસી ઇરફાન હબીબભાઈ મોવર નામનો ૧૬ વર્ષીય તરૂણ બાઇકમાં પીપળીયા ચોકડી પાસેથી જતો હતો ત્યારે બાઈક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો જેમાં માથાના ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં ઈરફાનને અહીં આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યો હતો.તે રીતે જ માળિયા મિંયાણાના વાળા વિસ્તારમાં રહેતા દિલાવર કાદર પારેડી નામના ૨૨ વર્ષીય યુવાને પણ પીપળીયા ચોકડી પાસે વાહન અકસ્માતમાં માથાના ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં આયુષ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો.








Latest News