મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીના રામકૃષ્ણનગરમાં યુવાનની હત્યાના ગુનામાં ત્રણ આરોપીને આજીવન કેદ


SHARE









મોરબીના રામકૃષ્ણનગરમાં યુવાનની હત્યાના ગુનામાં ત્રણ આરોપીને આજીવન કેદ

મોરબીના રામકૃષ્ણનગરમાં વર્ષ ૨૦૧૭ માં મિત્ર પાસે વાપરવા માટે પૈસા માગ્યા હતા ત્યારે તેને પૈસા આપવાની ના કહી હતી જેથી યુવાનને ચાર શખ્સોએ છરીના ઘા ઝીકી દીધા હતા અને તેની હત્યા કરી હતી જે ગુનામાં ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજે ત્રણ આરોપીને દોષી જાહેર કર્યા છે અને તેને આજીવન કેદની સજા ફટાકરી છે જો કે, એક આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવેલ છે

મોરબીના રામકૃષ્ણનગરમાં ખોડિયાર મંદિર પાસે તા ૨૧/૫/૧૭ ના રોજ કાનજી ઉર્ફે કાનો વાસુદેવભાઈ રાવળ નામના યુવાનની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. જેની બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે સુરેશભાઈ ઉર્ફે લાલો છગનભાઇ પનારારામદેવ રાજુભાઇ ચાવડામયુરસિંહ નાનુંભા જાડેજાસલમાનભાઈ દાદુભાઈ દાવલિયાની ધરપકડ કરી હતી અને આરોપીઓ મૃતક યુવાન પાસે વાપરવા માટે પૈસાની માંગણી કરી હતી જો કે, તેને પૈસા આપવાની ના પાડતા તેને છરીના ઘા ઝીકિને તેની હત્યા કરી નાખવામાં આવી હતી આ કેસ મોરબીના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એ.ડી. ઓઝાની કોર્ટમાં ચાલી ગયો હતો અને સરકારી વકીલ વિજયકુમાર જાનીએ કરી દલીલ અને ૨૮ દસ્તાવેજી તેમજ ૨૬ મૌખિક પુરાવાઑને ધ્યાને લઈને કોર્ટે હત્યા કેસમાં સુરેશભાઈ ઉર્ફે લાલો છગનભાઇ પનારારામદેવ રાજુભાઇ ચાવડામયુરસિંહ નાનુંભા જાડેજાને દોષિત જાહેર કરીને આજીવન કેદની સજા ફટાકરી છે. તેમજ આરોપીઓને ૧૦ હજારનો દંડ ફટકાર્યો છે. જો કે, આરોપી સલમાનભાઈ દાદુભાઈ દાવલિયાને નિર્દોષ જાહેર કરેલ છે.






Latest News