માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા મોરબીના લખધીરપુર રોડે આવેલ કારખાનામાં મશીનના પટ્ટામાં ફસાઈ જતાં ઇજા પામેલા સગીરનું મોત મોરબીના વૃદ્ધની કડીયાણા નજીક આવેલ વાડીમાંથી 1 લાખના કોપર વાયરની ચોરી હળવદમાં જમીન લે-વેચના ભાગીદારને દલાલી આપી દીધી હોવા છતાં વધુ 5 લાખ માંગીને જાનથી મારી નાખવાની ધમકી ટંકારના પાલિકાની પહેલી ચૂંટણીમાં મતદારો ઘટતી પ્રાથમિક સુવિધાઓને ધ્યાને રાખીને કરશે મતદાન: ભાજપ-કોંગ્રેસ સહિતના ઉમેદવારોના જીતના દાવા મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર મોરબીના તળાવીયા શનાળા નજીક કારખાનામાં આગ
Breaking news
Morbi Today

મોરબીના રામકૃષ્ણનગરમાં યુવાનની હત્યાના ગુનામાં ત્રણ આરોપીને આજીવન કેદ


SHARE













મોરબીના રામકૃષ્ણનગરમાં યુવાનની હત્યાના ગુનામાં ત્રણ આરોપીને આજીવન કેદ

મોરબીના રામકૃષ્ણનગરમાં વર્ષ ૨૦૧૭ માં મિત્ર પાસે વાપરવા માટે પૈસા માગ્યા હતા ત્યારે તેને પૈસા આપવાની ના કહી હતી જેથી યુવાનને ચાર શખ્સોએ છરીના ઘા ઝીકી દીધા હતા અને તેની હત્યા કરી હતી જે ગુનામાં ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજે ત્રણ આરોપીને દોષી જાહેર કર્યા છે અને તેને આજીવન કેદની સજા ફટાકરી છે જો કે, એક આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવેલ છે

મોરબીના રામકૃષ્ણનગરમાં ખોડિયાર મંદિર પાસે તા ૨૧/૫/૧૭ ના રોજ કાનજી ઉર્ફે કાનો વાસુદેવભાઈ રાવળ નામના યુવાનની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. જેની બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે સુરેશભાઈ ઉર્ફે લાલો છગનભાઇ પનારારામદેવ રાજુભાઇ ચાવડામયુરસિંહ નાનુંભા જાડેજાસલમાનભાઈ દાદુભાઈ દાવલિયાની ધરપકડ કરી હતી અને આરોપીઓ મૃતક યુવાન પાસે વાપરવા માટે પૈસાની માંગણી કરી હતી જો કે, તેને પૈસા આપવાની ના પાડતા તેને છરીના ઘા ઝીકિને તેની હત્યા કરી નાખવામાં આવી હતી આ કેસ મોરબીના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એ.ડી. ઓઝાની કોર્ટમાં ચાલી ગયો હતો અને સરકારી વકીલ વિજયકુમાર જાનીએ કરી દલીલ અને ૨૮ દસ્તાવેજી તેમજ ૨૬ મૌખિક પુરાવાઑને ધ્યાને લઈને કોર્ટે હત્યા કેસમાં સુરેશભાઈ ઉર્ફે લાલો છગનભાઇ પનારારામદેવ રાજુભાઇ ચાવડામયુરસિંહ નાનુંભા જાડેજાને દોષિત જાહેર કરીને આજીવન કેદની સજા ફટાકરી છે. તેમજ આરોપીઓને ૧૦ હજારનો દંડ ફટકાર્યો છે. જો કે, આરોપી સલમાનભાઈ દાદુભાઈ દાવલિયાને નિર્દોષ જાહેર કરેલ છે.






Latest News