મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં જી.આઇ.ડી.સી. સામે નવા બનતા બિલ્ડિંગમાં ત્રીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત


SHARE







મોરબીમાં જી.આઇ.ડી.સી. સામે નવા બનતા બિલ્ડિંગમાં ત્રીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત

મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ જી.આઇ.ડી.સી.ની સામેના ભાગમાં નવા બનતા બિલ્ડિંગમાં સેન્ટીંગનું કામ કરતો યુવાન ત્રીજા માળેથી નીચે પટકાયો હતો જેથી તેને કપાળે અને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યો હતો જોકે સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નીપજયું હતું જેથી અકસ્માત મૃત્યુ આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના નાની વાવડી ગામે રહેતા અને સેન્ટીંગનું કામ કરતા ગોવિંદભાઈ નારણભાઈ વાઘેલા (૩૭) મોરબીના શનાળા રોડ ઉપર જી.આઈ.ડી.સી. પાસે આવેલ પનામા માર્બલની બાજુમાં નવા બનતા બિલ્ડીંગમાં ત્રીજા માળે સેન્ટીંગના સળિયા ગોઠવવાનું કામ કરી રહ્યા હતા ત્યારે અકસ્માતે ત્રીજા માળેથી નીચે પટકાતાં તેઓને માથાના ભાગે અને કપાળમાં ગંભીર ઈજા થઈ હતી જેથી કરીને ગોવિંદભાઈને સારવાર માટે પ્રથમ મોરબીના સાવસર પ્લોટમાં આવેલા આયુષ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર કારગત ન નિવડતા ગોવિંદભાઈ વાઘેલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News