મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં જી.આઇ.ડી.સી. સામે નવા બનતા બિલ્ડિંગમાં ત્રીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત


SHARE













મોરબીમાં જી.આઇ.ડી.સી. સામે નવા બનતા બિલ્ડિંગમાં ત્રીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત

મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ જી.આઇ.ડી.સી.ની સામેના ભાગમાં નવા બનતા બિલ્ડિંગમાં સેન્ટીંગનું કામ કરતો યુવાન ત્રીજા માળેથી નીચે પટકાયો હતો જેથી તેને કપાળે અને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યો હતો જોકે સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નીપજયું હતું જેથી અકસ્માત મૃત્યુ આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના નાની વાવડી ગામે રહેતા અને સેન્ટીંગનું કામ કરતા ગોવિંદભાઈ નારણભાઈ વાઘેલા (૩૭) મોરબીના શનાળા રોડ ઉપર જી.આઈ.ડી.સી. પાસે આવેલ પનામા માર્બલની બાજુમાં નવા બનતા બિલ્ડીંગમાં ત્રીજા માળે સેન્ટીંગના સળિયા ગોઠવવાનું કામ કરી રહ્યા હતા ત્યારે અકસ્માતે ત્રીજા માળેથી નીચે પટકાતાં તેઓને માથાના ભાગે અને કપાળમાં ગંભીર ઈજા થઈ હતી જેથી કરીને ગોવિંદભાઈને સારવાર માટે પ્રથમ મોરબીના સાવસર પ્લોટમાં આવેલા આયુષ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર કારગત ન નિવડતા ગોવિંદભાઈ વાઘેલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી








Latest News