મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું ભારે કરી: મોરબીના થોરાળા ગામે ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ગેસના ભરેલા 30 બાટલાની ચોરી મોરબીના લાલપર પાસે ટ્રક ચાલકે સ્કૂટરને હડફેટે લેતા વૃદ્ધને કમર-ગોળામાં ફ્રેકચર વાંકાનેરના કલાવડી ગામે વાડીના રસ્તા ઉપરથી પથ્થર ઉપાડવા બાબતે વૃદ્ધને તેના સગા ભાઈ સહિત 3 લોકોને પથ્થરના છૂટા ઘા માર્યા હળવદના પ્રતાપગઢ ગામનો બનાવ: છૂટાછેડા થઈ ગયા બાદ મહિલાને તેડી જવા આવેલ પૂર્વ પતિએ કર્યો છરી વડે હુમલો, ઇજાગ્રસ્ત પિતા-ભાભી સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના ખાનપર ગામેથી વતનમાં ગયેલા પિતા સાથે ન લઈ જતાં સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE









મોરબીના ખાનપર ગામેથી વતનમાં ગયેલા પિતા સાથે ન લઈ જતાં સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબી નજીકના ખાનપર ગામે વાડી રહીને મજૂરી કરતો યુવાન પોતાના વતનમાં જતો હતો જેથી તેની સગીર વયની દીકરીને તેની સાથે વતનમાં જવું હતું જોકે, સગીરાને તેના પિતા સાથે લઈ ગયા ન હતા જેથી સગીરાને લાગી આવ્યું હતું અને તેને ગળાફાંસો ખાઇ લીધો હતો જે તેની માતા જોઈ જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા સગીરાનું મોત નિપજ્યું છે.જેથી કરીને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખાનપર ગામે જયંતીભાઈની વાડી રહીને મજૂરીકામ કરતા મૂળ એમપીના રહેવાથી કાળુભાઈ વેશ્યાભાઈ બિલવાલ જાતે આદિવાસી (ઉમર ૪૩) ગત તા ૧૦/૪ ના રોજ પોતાના વતનમાં જતા હતા ત્યારે તેની સગીર વયની દીકરી સુનિતાબેન (ઉંમર ૧૪)ને અહિયાં ગમતું ન હોવાથી તેની સાથે વતનમાં જવું હતું જોકે કાળુભાઈ તેની દીકરીને સાથે લઈને ગયા ન હતા માટે ગત તા ૧૬/૪ ના રોજ સવારે ૧૧ વાગ્યાના અરસામાં સુનિતાએ પોતાની જાતે દુપટા વડે ગળાફાંસો ખાઇ લીધો હતો જે તેની માતા જોઈ લેતા તેને તાત્કાલિક દાંતરડા વડે દુપટો કાપી નાંખીને તેને સારવાર માટે પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા સગીરાનુ મોત નીપજયું હતું જેથી આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હાલમાં બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરેલ છે






Latest News