મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના ખાનપર ગામેથી વતનમાં ગયેલા પિતા સાથે ન લઈ જતાં સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE













મોરબીના ખાનપર ગામેથી વતનમાં ગયેલા પિતા સાથે ન લઈ જતાં સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબી નજીકના ખાનપર ગામે વાડી રહીને મજૂરી કરતો યુવાન પોતાના વતનમાં જતો હતો જેથી તેની સગીર વયની દીકરીને તેની સાથે વતનમાં જવું હતું જોકે, સગીરાને તેના પિતા સાથે લઈ ગયા ન હતા જેથી સગીરાને લાગી આવ્યું હતું અને તેને ગળાફાંસો ખાઇ લીધો હતો જે તેની માતા જોઈ જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા સગીરાનું મોત નિપજ્યું છે.જેથી કરીને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખાનપર ગામે જયંતીભાઈની વાડી રહીને મજૂરીકામ કરતા મૂળ એમપીના રહેવાથી કાળુભાઈ વેશ્યાભાઈ બિલવાલ જાતે આદિવાસી (ઉમર ૪૩) ગત તા ૧૦/૪ ના રોજ પોતાના વતનમાં જતા હતા ત્યારે તેની સગીર વયની દીકરી સુનિતાબેન (ઉંમર ૧૪)ને અહિયાં ગમતું ન હોવાથી તેની સાથે વતનમાં જવું હતું જોકે કાળુભાઈ તેની દીકરીને સાથે લઈને ગયા ન હતા માટે ગત તા ૧૬/૪ ના રોજ સવારે ૧૧ વાગ્યાના અરસામાં સુનિતાએ પોતાની જાતે દુપટા વડે ગળાફાંસો ખાઇ લીધો હતો જે તેની માતા જોઈ લેતા તેને તાત્કાલિક દાંતરડા વડે દુપટો કાપી નાંખીને તેને સારવાર માટે પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા સગીરાનુ મોત નીપજયું હતું જેથી આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હાલમાં બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરેલ છે








Latest News