મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

ટંકારાના ધ્રુવનગર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત


SHARE







ટંકારાના ધ્રુવનગર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત

ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતી પરણિતાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે પ્રથમ ટંકારા અને ત્યાંથી રાજકોટ લઇ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તે પરિણીતાનું મોત નીપજયું હતું જેથી કરીને આપઘાતના બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની તપાસ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ દાહોદના પાવર ધારના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામે વિજયભાઈની વાડીમાં રહીને વાડીમાં મજૂરી કામ કરતાં સંકરભાઈ પરમારના પત્ની નંદાબેન પરમાર (૨૧)એ કોઈ કારણોસર વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે પ્રથમ ટંકારા હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઇ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી આપઘાતના બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાનનું મોત

ટંકારા તાલુકાના ભુતકોટડા ગામે રહેતા અમીનભાઈ નાનજીભાઈ ચૌધરી જાતે પટેલ (ઉંમર ૩૩)ને લીવર અને કિડનીની તકલીફ હોય તેને સારવાર માટે અગાઉ રાજકોટ લઇ ગયા હતા જોકે સારું નહીં થતાં તેને પોતાના ઘરે પરત લઇને આવ્યા હતા અને ત્યારબાદ તેની ડેડબોડીને ટંકારા હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જેથી ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા માટે આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News