મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી વિમેદારને રૂપિયા પાંચ લાખથી વધુની રકમ વ્યાજ સહિત મળી હળવદના ચરાડવા ગામે ગટરનો પ્રશ્ન ઉકેલવા આપના તાલુકા પ્રમુખે સાંસદને કરી રજૂઆત મોરબીની પીએમશ્રી તાલુકા શાળા નં.૨ માં પ્રવેશોત્સવ યોજાયો મોરબીની ઓસેમ સ્કુલ ખાતે ડ્રગ વિરોધી જાગૃતિ દિવસ ઉજવાયો મોરબીના રામધન આશ્રમ ખાતે અષાઢી બીજ ઉજવાઇ મોરબી સહિત રાજ્યના જિલ્લાઓમાં ડીઝલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઇ મોરબીના રંગપર અને માણેકવાડા ગામે સરકારી શાળામાં પ્રવેશોત્સવ યોજાયો મોરબી એલસીબી દ્વારા દારૂના અનેક ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ વડોદરા જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્રારા વિશ્વ વસ્તીદિને સ્પર્ધાનું આયોજન


SHARE















મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્રારા વિશ્વ વસ્તીદિને સ્પર્ધાનું આયોજન

આગામી તા.૧૧ જુલાઈ એટલે કે વિશ્વ વસ્તી દિવસ અનુસંધાને વસ્તી વધારો દરેક સમસ્યાની જનની  છે. એ વિષય પર ઘરે બેઠાં વક્તુત્વ સ્પર્ધાનું આયોજન કરાયેલ છે.

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગાંધીનગર દ્વારા માન્ય આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર-મોરબી દ્રારા તા.૧૧-૭ વિશ્વ વસ્તી દિવસનાં અનુસંધાને વસ્તી વધારો દરેક સમસ્યા ની જનની છે તે વિષય ઉપર કેટેગરી મુજબ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમા ઘરે બેઠાં વિડીયો બનાવી ભાગ લેવાંનો રહેશે.

તા.૧૧ જુલાઈનો દિવસ વિશ્વ વસ્તી દિન તરીકે ઉજવાય છે. આગામી ઈ.સ. ૨૦૨૫ સુધીમાં સમગ્ર વિશ્વની વસ્તી આઠ અબજના આંકને પાર કરી જવાની છે.તો એકલા ભારતની વસ્તી ઈ.સ.૨૦૨૫ સુધીમાં ૧.૭ અબજના આંકને આંબી જવાની છે ત્યારે સમગ્ર વિશ્વમાં આજે વસ્તી વિસ્ફોટ એક મુખ્ય સમસ્યા બની ગઈ છે ત્યારે શિક્ષણ, આરોગ્ય, રોજગારી, હરિયાળી જેવા મુદ્દે વસ્તી વિસ્ફોટ આડઅસર કરે છે.ભારતમાં જાગૃતિ જરુરી છે. ભારતની વસ્તીનો વૃદ્ધિ દર ૧૭.૬૪ ટકાનો રહ્યો છે. ઈ.સ. ૨૦૦૧ થી ઈ.સ. ૨૦૧૧ સુધીમાં એક બ્રાઝિલ દેશ જેટલી વસ્તીનો ભારતમાં વધારો થયો ! આરોગ્યનો પ્રશ્ન વસ્તી વૃદ્ધિ દર સાથે સીધો સંકળાયેલો છે.વસ્તી વૃદ્ધિ દર ઘટાડવા શું કરી શકાય ? ભારતમાં વસ્તી વૃદ્ધિ દર ઘટાડવો હોય તો સૌ પ્રથમ તો ગ્રામ્ય કક્ષાએ ખાસ તો બહેનોમાં શિક્ષણનું પ્રમાણ વધારવું ઉપરાંત માથાદીઠ આવક વધારવી જેથી આવક વધારવા માટે દંપત્તિઓ વધુ બાળકોને પેદા ન કરે. આ ઉપરાંત શહેરીકરણ વધશે તો વૃદ્ધિ દર ઘટશે. લગ્ન વય પણ થોડી મોડી થશે તો બાળકોનું પ્રમાણ ઘટી શકે. બાળ મૃત્યુ દર પણ ઘટાડવો જરૂરી છે. આ વક્તુત્વ સ્પર્ધામાં  કેટેગરી  મુજબ વસ્તી વધારો દરેક સમસ્યા ની જનની છે વિષયનાં અનુસંધાને  વિડીયોગ્રાફી કરીને તા.૧૧ ના રાતના નવ વાગ્યા પહેલા મો.નં.98249 12230, 87801 27202, 97279 86386 માંથી કોઇ એક નંબર ઉપર વૉટસએપ નંબર ઉપર મોકલી આપવાના રહેશે તેમ સંચાલક એલ.એમ.ભટ્ટ તેમજ દિપેન ભટ્ટે યાદીમાં જણાવેલ છે.






Latest News