માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીના સીંધાવદર ગામેથી યુવતી ગુમ, તપાસ ચાલુ 


SHARE















મોરબીના સીંધાવદર ગામેથી યુવતી ગુમ, તપાસ ચાલુ 

મોરબીના વાંકાનેર તાલુકામાં આવતા સીંધાવદર ગામે પરિવાર સાથે રહેતી યુવતી ઘરેથી કોઈને કહ્યા વગર ગુમ થઈ જતા પોલીસને જાણ કરવામાં આવી હોવાથી હવે પોલીસે યુવતીની શોધખોળ શરૂ કરી છે.

વાંકાનેર તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વાંકાનેરના સીંધાવદર ગામે રહેતા નાગજીભાઈ કાનજીભાઇ મકવાણા (ઉમર ૬૧) એ પોલીસને જાણ કરી જણાવ્યું હતું કે, તેમની દીકરી જાગૃતિબેન નાગજીભાઈ મકવાણા (ઉમર ૩૧) રહે. સીંધાવદર વાળી ગત તા.૧-૭ ના રોજ દશથી બાર વાગ્યાના અરસામાં તેમના ઘરેથી કોઈને કંઈપણ કહ્યા વગર નિકળી ગયેલ હોય અને ઘરમેળે તપાસ કરવા છતાં પણ તેણીનો પત્તો લાગ્યો ન હોય જેથી અંતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મૌમજીભાઇ ચૌહાણ તપાસ ચલાવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુમ થયેલા જાગૃતીબેન પહેરેલ કપડે ઘરેથી કોઈને કંઈપણ કહ્યા વગર નીકળી ગયા છે અને આધારકાર્ડ સાથે લઈ ગયા હોય પોલીસે તેણીની શોધખોળ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા 

મોરબીના લક્ષ્મીનગર ગામે રહેતા કરણસિંહ પુનમસિંહ મેસાણીયા નામના ૧૮ વર્ષના યુવાનને બેલા રોડ ઉપર વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતાં સારવારમાં સિવિલે લઈ જવાયો હતો. જ્યારે મોરબીના શનાળા રોડ લાઇન્સનગર વિસ્તારમાં રહેતા રૂકસાનાબેન શાહરૂખભાઈ કાસમાણી (૨૦) નામની મહિલાને સાસરિયામાં મારામારીના બનાવમાં ઇજા થતાં સારવારમાં સિવિલે લઈ જવામાં આવી હતી.

શોટ લાગતા સારવારમાં

મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં રહેતા યુવાનને શોટ લાગતા સારવારમાં ખસેડાયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે લાતીપ્લોટ શેરી નંબર-૩ માં રહેતા ખુમાનસિંહ જોરૂભા જાડેજા નામના ૪૧ વર્ષીય યુવાનને ઈલેક્ટ્રીક શોટ લાગતા તેમણે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસ મથકના સબળસિંહ સોલંકીએ તપાસ હાથ ધરી છે.






Latest News