મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

ટંકારા નજીક રિક્ષાને આંતરીને લૂંટ !: ખોદયો પહાડ નીકળ્યો ઉંદર


SHARE













ટંકારા નજીક રિક્ષાને આંતરીને લૂંટ !: ખોદયો પહાડ નીકળ્યો ઉંદર

મોરબી રાજકોટ હાઇવે ઉપર રિક્ષા લઈને પસાર થઈ રહેલા રાજકોટના યુવાનને લૂંટી લેવામાં આવ્યો હોવાની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે તે દિશામાં તપાસ કરતાં લૂંટનું નાટક કર્યું હોવાની માહિતી સામે આવી હતી જેથી હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લૂંટની જાહેરાત કરનારા શખ્સની સામે જ ફરિયાદ નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ કાશીયાગાળા ગામના રહેવાસી અને હાલમાં રાજકોટ ખાતે સોલ્વન્ટ ફાટક નજીક રહેતા દિનેશભાઇ સંગ્રામભાઈ જોગરાણા જાતે ભરવાડ રિક્ષા લઈને રાજકોટથી રોટાવેટર મશીનની ડીલેવરી આપવા માટે મોરબી જીલ્લામાં આવ્યા હતા અને ત્યાંથી માલની ડિલિવરી આપીને પરત જઇ રહ્યા હતા ત્યારે ત્રણ બાઇકમાં આવેલા અજાણ્યા શખસોએ તેની રિક્ષાને રોકાવીને રોકડા ૯૧૦૦૦ રૂપિયા તેમજ ચાંદીનું કડું અને એક મોબાઈલ ફોનની લૂંટ ચલાવી છે તેવી જાણ દિનેશભાઇએ તેના ભાઈ ભરતભાઈ અને શેઠ રાહુલભાઈને કરી હતી જેથી કરીને દિનેશભાઇના શેઠ રાહુલભાઈએ મોરબી જિલ્લા પોલીસના કંટ્રોલરૂમમાં લૂંટના બનાવની જાણ જાહેરાત કરી હતી અને મોરબી જિલ્લા પોલીસે લૂંટારાઓને પકડવા માટે નાકાબંધી પણ કરી હતી ત્યાર બાદ દિનેશભાઈ સંગ્રામભાઈ જોગરાણાને પોલીસ મથકે લાવીને તેની પોલીસ દ્વારા આગામી ઢબે પુછપરછ કરવામાં આવતા આ શખ્સે લૂંટનું નાટક કર્યું હોવાની માહિતી સામે આવી હતી જેથી કરીને પોલીસને ખોટી માહિતી આપી ગુમરાહ કરનારા દિનેશભાઈ સંગ્રામભાઈ જોગરાણાની સામે ગુનો નોંધી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News