મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં અષાઢી બીજ રથયાત્રા પૂર્વે જિલ્લા પોલીસ વડા દ્વારા કરાયું નિરીક્ષણ


SHARE











વાંકાનેરમાં અષાઢી બીજ રથયાત્રા પૂર્વે જિલ્લા પોલીસ વડા દ્વારા કરાયું નિરીક્ષણ

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરમાં આવતીકાલે અષાઢી બીજ રથ યાત્રા પૂર્વે વાંકાનેરમાં જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા અને ડીવાયએસપી રાધિકા ભારાઈ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ત્યારે વાંકાનેરના સિટી પીઆર એચ.એન,રાઠોડ સહિતના પોલીસ અધિકારી અને કર્મચારી હાજર રહ્યા હતા અને ત્યારે પોલીસે વડાએ જરૂરી સૂચનો કર્યા હતા 

આવતીકાલે યોજાનાર અષાઢી બીજ રથ યાત્રા પૂર્વે આ સાલ કોરોના અનુલક્ષીને વહીવટ તંત્ર, પોલીસ તંત્ર વધુ સજ્જ બન્યુ છે, વાંકાનેરમાં નિકળનાર અષાઢી બીજ રથ યાત્રામાં કોરોના અન્વયે સરકારી ગાઈડ લાઈનનાં ચુસ્ત અમલ માટે પોલીસ વિભાગ સજ્જ બન્યુ છે, રથ યાત્રા રૂટ પર સવારે 9 થી 4 દરમ્યાન કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે, રથ યાત્રામાં પણ સરકારી ગાઈડ લાઈન મુજબ મર્યાદિત સંખ્યામાં લોકો જોડાશે અને કોરોના નેગેટીવ રિપોર્ટ ધરાવનાર જ જોડાઈ શકશે, ત્યારે કોરોનાની સંભવતઃ ત્રીજી લહેર અનુલક્ષી આ સાલ પોલીસ અને પ્રશાસન દ્વારા ચુસ્ત અમલવારી માટે કમર કસવામાં આવી રહી છે.






Latest News