મોરબી: ઝાડા ઉલટી થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારીમાં મોરબીના કાર્યકર્તાઓએ હાજર રહ્યા કચ્છથી મોરબી આવેલ બોલેરો ગાડીમાં ગૌવંશ હોવાની બાતમી આધારે વાહન ચેક કરવા ગયેલ ગૌરક્ષકો ઉપર ખાટકીવાસમાં ધોકા, પાઇપ અને તિક્ષણ હથિયાર વડે હુમલો મોરબીના આમરણ નજીક ટેન્કર ચાલકે ડબલ સવારી બાઇકને ટક્કર મારતા વૃદ્ધનું મોત, એકને ઇજા મોરબીમાં ઘરમાં કબાટના લોક ખોલીને સોનાના દાગીના સહિત 1.93 લાખના મુદામાલની ચોરી લાલચ બૂરી બલા હૈ: મોરબીના આધેડને ઘરે બેઠા ઓનલાઈન વર્ક કરી કમાણી કરવાની લાલચ આપીને 62.93 લાખની છેતરપિંડી મોરબીમાં ખાનપર ગામે યુવાનની માલીકીની જમીન ઉપર કબ્જો કરનાર બે શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના લખધીરપુર રોડે ગોડાઉનના પતરા ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં અષાઢી બીજ રથયાત્રા પૂર્વે જિલ્લા પોલીસ વડા દ્વારા કરાયું નિરીક્ષણ


SHARE















વાંકાનેરમાં અષાઢી બીજ રથયાત્રા પૂર્વે જિલ્લા પોલીસ વડા દ્વારા કરાયું નિરીક્ષણ

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરમાં આવતીકાલે અષાઢી બીજ રથ યાત્રા પૂર્વે વાંકાનેરમાં જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા અને ડીવાયએસપી રાધિકા ભારાઈ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ત્યારે વાંકાનેરના સિટી પીઆર એચ.એન,રાઠોડ સહિતના પોલીસ અધિકારી અને કર્મચારી હાજર રહ્યા હતા અને ત્યારે પોલીસે વડાએ જરૂરી સૂચનો કર્યા હતા 

આવતીકાલે યોજાનાર અષાઢી બીજ રથ યાત્રા પૂર્વે આ સાલ કોરોના અનુલક્ષીને વહીવટ તંત્ર, પોલીસ તંત્ર વધુ સજ્જ બન્યુ છે, વાંકાનેરમાં નિકળનાર અષાઢી બીજ રથ યાત્રામાં કોરોના અન્વયે સરકારી ગાઈડ લાઈનનાં ચુસ્ત અમલ માટે પોલીસ વિભાગ સજ્જ બન્યુ છે, રથ યાત્રા રૂટ પર સવારે 9 થી 4 દરમ્યાન કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે, રથ યાત્રામાં પણ સરકારી ગાઈડ લાઈન મુજબ મર્યાદિત સંખ્યામાં લોકો જોડાશે અને કોરોના નેગેટીવ રિપોર્ટ ધરાવનાર જ જોડાઈ શકશે, ત્યારે કોરોનાની સંભવતઃ ત્રીજી લહેર અનુલક્ષી આ સાલ પોલીસ અને પ્રશાસન દ્વારા ચુસ્ત અમલવારી માટે કમર કસવામાં આવી રહી છે.






Latest News