ટંકારાના ધારાસભ્યએ ખોડાપીપર ગામે અદ્યતન એમ્બ્યુલન્સ અર્પણ કરી
SHARE









લલિતભાઈએ કોરોના જેવી મહામારી કે અન્ય આપદા આવે તો લોકોને મુશ્કેલી પડે નહિ એટલા માટે એમ્બ્યુલન્સ આપવાનો નિર્ણય કર્યો હતો. આ એમ્બ્યુલન્સ લોકાર્પણ પ્રસંગે આરોગ્ય વિભાગ અને સર્વ ગ્રામજનો દ્રારા લલીતભાઈ કગથરા તથા ડો. ડાયાભાઈ પીપળીયાને સન્માનિત કરવામાં આવ્યા હતા અને હૃદયપૂર્વક તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અર્જુનભાઈ ખાટરિયાએ જાગૃત અને કર્મઠ ધારાસભ્ય લલીતભાઇ કગથરાનીને કામગીરી બિરદાવી હતી. આ પ્રસંગે જયંતીભાઈ જે. પટેલ, ઘનુભા જાડેજા, ભાણુભા, અવચરભાઈ, ભરતભાઈ તળપદા, હેમુભા, ગીરૂભા જાડેજા, વસંતભાઈ ગઢીયા, રમણીકભાઇ પટેલ, જેરાજભાઈ વૈષ્ણવ, ઇલાબેન કગથરા, નયનભાઈ અઘારા, કે.ડી.પડસુંબિયા, હિરેનભાઈ તથા સહકારી આગેવાનો અને ટંકારા તેમજ પડધરી તાલુકાના વરીષ્ઠ આગેવાનો અને ગ્રામ્યજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. અને અશ્વિનભાઈ ગઢીયા દ્વારા કાર્યક્ર્મનું સંચાલન કરવામાં આવ્યું હતું.
