મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

ટંકારાના ધારાસભ્યએ ખોડાપીપર ગામે અદ્યતન એમ્બ્યુલન્સ અર્પણ કરી


SHARE











ટંકારાના ધારાસભ્યએ ખોડાપીપર ગામે અદ્યતન એમ્બ્યુલન્સ અર્પણ કરી
 
ટંકારા પડધરીના ધારાસભ્ય લલિતભાઈ કગથરા દ્વારા પડધરી તાલુકાના ખોડાપીપર ગામે પોતાની ગ્રાન્ટમાંથી ખોડાપિપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમા અદ્યતન એમ્બ્યુલન્સ આપી હતી. 

લલિતભાઈએ કોરોના જેવી મહામારી કે અન્ય આપદા આવે તો લોકોને મુશ્કેલી પડે નહિ એટલા માટે એમ્બ્યુલન્સ આપવાનો નિર્ણય કર્યો હતો. આ એમ્બ્યુલન્સ લોકાર્પણ પ્રસંગે આરોગ્ય વિભાગ અને  સર્વ ગ્રામજનો દ્રારા લલીતભાઈ કગથરા તથા ડો. ડાયાભાઈ પીપળીયાને સન્માનિત કરવામાં  આવ્યા હતા અને હૃદયપૂર્વક તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અર્જુનભાઈ ખાટરિયાએ જાગૃત અને કર્મઠ ધારાસભ્ય લલીતભાઇ કગથરાનીને કામગીરી બિરદાવી હતી. આ પ્રસંગે જયંતીભાઈ જે. પટેલઘનુભા જાડેજાભાણુભાઅવચરભાઈભરતભાઈ તળપદાહેમુભાગીરૂભા જાડેજાવસંતભાઈ ગઢીયારમણીકભાઇ પટેલજેરાજભાઈ વૈષ્ણવઇલાબેન કગથરાનયનભાઈ અઘારાકે.ડી.પડસુંબિયાહિરેનભાઈ તથા સહકારી આગેવાનો અને ટંકારા તેમજ પડધરી તાલુકાના વરીષ્ઠ આગેવાનો અને ગ્રામ્યજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. અને અશ્વિનભાઈ ગઢીયા દ્વારા કાર્યક્ર્મનું સંચાલન કરવામાં આવ્યું હતું.






Latest News