વાંકાનેર એસટી ડેપોની મુકલતા લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં પત્ની સાથે મૈત્રી કરાર યુવાન પાસે ફાયરિંગ કરનારા પતિ સહિતના બે આરોપી જેલ હવાલે


SHARE

















મોરબીમાં પત્ની સાથે મૈત્રી કરાર યુવાન પાસે ફાયરિંગ કરનારા પતિ સહિતના બે આરોપી જેલ હવાલે

મોરબીનાં બેલા (રંગપર) ગામે રહેતા યુવાને મૈત્રી કરાર કર્યા હતા અને જે મહિલાની સાથે મૈત્રી કરાર કરેલા હતા તેના પતિ દ્વારા યુવાનની સામે રિવોલ્વર તાકીને તેની પત્નીને છોડી દેવા માટે ધમકી આપવામાં આવી હતી અને યુવાનના પગ પાસે બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા આ ગુનામાં પકડાયેલા મહિલાના પતિ સહિતના બે આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે

મોરબી તાલુકાનાં બેલા ગામે રહેતા ગૌતમભાઈ જયંતીલાલ દેલવાડીયા જાતે પટેલ (૩૦)એ જે મહિલાની સાથે મૈત્રી કરાર કર્યા છે તે મહિલાના પતિ નવનીત ઉર્ફે નંદો કાનાભાઇ પટેલ અને તેના મિત્ર યોગેશભાઇ બરાસરા સામે ફરિયાદ નોંધાવી હતી કે પોતાના ઘરેથી કારખાને જતા હતા ત્યારે રસ્તામાં બંને આરોપી આવ્યા હતા અને નવનીત ઉર્ફે નંદો કાનાભાઇ પટેલે ગૌતમભાઈને ઊભા રાખીને “અસ્મીતા કે જે નવનીતની પત્ની છે તેની સાથે મૈત્રી કરાર કરેલ છે તે અસ્મિતાને છોડી દેજે તેમ કહીને યુવાનને મારી નાખવાના ઇરાદે તેની સામે રીવોલ્વર તાકી હતી અને તેના પગ પાસે બે રાઉન્ડ ફાયરીંગ કર્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ ગુનામાં પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા અને હાલમાં બંને આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે

ગુમ થયેલ યુવતીની ભાળ મળી

મોરબીના વાવડી રોડ ઉપર કારીયા સોસાયટીમાં રહેતા પ્રદીપભાઈ સુરેલા જાતે કોળીની ૨૨ વર્ષીય પુત્રી સપનાબેન છેલ્લા થોડા દિવસોથી ગુમ થઇ ગઇ હતી અને તે અંગેની પોલીસને જાણ કરવામાં આવી હતી.દરમિયાનમાં ગુમ થયેલ સપનાબેન પોતાની મેળે મળી આવ્યા હતા અને પોલીસ નિવેદનમાં તેણીએ જણાવ્યું હતુ કે તેને મોરબીના જ રણછોડનગર વિસ્તારમાં રહેતા યુવક સાથે પ્રેમસંબંધ હોય અને તેની સાથે ચાલ્યા ગયેલ અને સ્વેચ્છાએ પરત ઘરે આવી જતા પરિવાર અને પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.બનાવ અંગે એ ડીવીઝન પોલીસ મથકના એમ.એમ.દેગામડીયા તપાસ ચલાવી રહ્યા છે.

મારામારીમાં ઇજા

મોરબીના રવાપર ગામના બોનીપાર્ક વિસ્તારમાં રહેતા દેવકરણભાઈ અણદાભાઈ પરમાર નામના ૭૦ વર્ષીય વૃદ્ધને શનાળા રોડ પર જીમ્મી ઓટો ગેરેજ નામની ઓફિસમાં થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતા સારવારમાં સિવિલે ખસેડાયા હતા.તેમજ મોરબી લાતી પ્લોટ શેરી નંબર ૨-૩ ની વચ્ચે રહેતા નરસીભાઇ ઉકાભાઈ વાઘેલા (૩૬) અને રાજુબેન નરસીભાઈ વાઘેલા (૩૫) ને પણ મારામારીના બનાવમાં ઇજા થતાં સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતા.મોરબી-વાંકાનેર હાઇવે ઉપર ઢુવા ગામ નજીક વરમોરા સીરામીકમાં રહીને મજુરીકામ કરતા બેભરસિંગ સુદામસિંગ નામના ૨૦ વર્ષીય યુવાનને સરતાનપર ચોકડી પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા ૧૦૮ વડે તેને સારવાર માટે અહિંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.




Latest News