વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ
Breaking news
Morbi Today

ટંકારા ધારાસભ્ય અને વિદ્યાર્થિનીઓએ બસના મુદ્દે મોરબીના નવા બસ સ્ટેન્ડમાં કર્યો હતો ચક્કાજામ


SHARE

















ટંકારા ધારાસભ્ય અને વિદ્યાર્થિનીઓએ બસના મુદ્દે મોરબીના નવા બસ સ્ટેન્ડમાં કર્યો હતો ચક્કાજામ

 મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેન્ડ ખાતે ટંકારા ધારાસભ્ય મોરબી જિલ્લા કોંગ્રેસના માજી પ્રમુખ લલીતભાઇ કગથરાની આગેવાનીમાં કોંગ્રેસના આગેવાનો અને વિદ્યાર્થીનીઑ દ્વારા એસટી બસમાં ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો કારણકે ટંકારા તાલુકાના ઉમિયાનગર, નસીપર, નાના ખીજડિયા, મોટા ખીજડીયા અને મોરબી તાલુકાના મહેન્દ્રનગર, ઘૂટું સહિતના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોરબી શહેર અને તેની આસપાસમાં આવેલી શાળા-કોલેજોની અંદર અભ્યાસ કરવા માટે આવતા વિદ્યાર્થીઓને તેઓના ઘરેથી સવારના સમયે સમયસર શાળાએ આવવા માટે થઈને બસ મળતી ન હોવાથી અને ઘણી વખત બસના ડ્રાઇવર-કંડકટર બસને ઊભી રાખતા નથી જેથી કરીને વિધાર્થીઓ સહિતના હેરાન થતાં હોય છે જેથી કરીને અવારનવાર આ મુદ્દે ધારાસભ્ય અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા મોરબી એસટી ડેપોના મેનેજર અને રાજકોટ ડિવિઝનના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં પણ નક્કર પગલાં લઈને સુધી લેવામાં આવ્યા ન હતા જેથી કરીને રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ અને ટંકારા ધારાસભ્ય સહિતના કોંગ્રેસના આગેવાનો દ્વારા એસટી બસ સ્ટેન્ડની અંદર બસને રોકી ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો અને જ્યાં સુધી એસટી બસો શરૂ નહીં કરવામાં આવે ત્યાં સુધી આ બસોને જવાની દેવામાં નહીં આવે તેવી ચીમકી ઉચ્ચારી હતી ત્યારે એસ.ટી બસ ડેપોના મેનેજર તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને તેમણે એસટી બસની જે જરૂરિયાત છે તે રૂટ તાત્કાલિક કાર્યરત કરવામાં આવે તેના માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી જેથી કરીને ધારાસભ્ય અને વિદ્યાર્થીઓએ ચક્કાજામ ખુલ્લો કર્યો હતો જોકે સમયસર બસોને શરૂ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ફરી પાછા કોંગ્રેસના આગેવાનો દ્વારા એસટી બસ ડેપો ખાતે ચક્કાજામ કરવામાં આવશે તેવી ચીમકી પણ કોંગ્રેસના આગેવાનો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી




Latest News