ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ચોર સમજીને માર મારવાના ગુનામાં આરોપીના આગોતરા જામીન મંજુર


SHARE













મોરબીમાં ચોર સમજીને માર મારવાના ગુનામાં આરોપીના આગોતરા જામીન મંજુર

મોરબીના શનાળા રોડ ઉપર વાડી પાસે ચોર સમજીને માર મારવાની ફરિયાદ નોંધાઈ હતી જેથી આરોપીએ આગોતરા જમીન માટે કોર્ટમાં વકીલ મારફતે અરજી કરી હતી જેમાં વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતી આગોતરા જમીન મંજૂર કરેલ છે

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં મારા મારીના બનાવની ફરિયાદ નોંધાઈ હતી અને આરોપીઓએ રાત્રીના સમયે ઈજા પામનારને ચોર સમજીને માર માર્યો હતો જેથી મોરબી ડિસ્ટ્રીકટ કોર્ટમાં આરોપી નકુમ નવીનભાઈ રમેશભાઈ ની રેગ્યુલર જામીન અરજી દાખલ કરેલ હતી અને આરોપી તરફે જાણીતા વકીલ એચ.એમ.ભોરણીયા તથા કાનજી એમ. ગરચર રોકાયેલ હતા. અને તેને કોર્ટમાં ધારદાર દલીલ કરેલ હતી કે, આરોપીઓએ આવો કોઈ ગુન્હો કરેલ નથી, આવા કોઈ ગુન્હો અંગે જાણતા નથી, તેમ છતાં ખોટી રીતે સંડોવી દીધેલ છે. આ બનાવમાં આરોપી સીધી કે આડકતરી રીતે કોઈ ભાગ ભજવેલ નથી તેમજ હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના વિવિધ ચુકાદાઓને ધ્યાને લઈ આરોપીને આગોતરા જામીન અરજી મંજુર કરવા દલીલ કરેલ હતી જેને ધ્યાને લઈને કોર્ટે આરોપીને શરતી જામીન પર છોડવાનો હુકમ કરેલ છે.અને આ કેસમાં આરોપી તરફે જાણીતા વકીલ એચ.એમ.ભોરણીયા, કાનજી એમ.ગરચર તથા કરમશી ડી.પરમાર રોકાયેલ હતાં.






Latest News