મોરબીના મહેન્દ્રનગર-ત્રાજપર ખારીમાં જુગારની બે રેડ: ચાર જુગારી પકડાયા
મોરબીમાં ચોર સમજીને માર મારવાના ગુનામાં આરોપીના આગોતરા જામીન મંજુર
SHARE
મોરબીમાં ચોર સમજીને માર મારવાના ગુનામાં આરોપીના આગોતરા જામીન મંજુર
મોરબીના શનાળા રોડ ઉપર વાડી પાસે ચોર સમજીને માર મારવાની ફરિયાદ નોંધાઈ હતી જેથી આરોપીએ આગોતરા જમીન માટે કોર્ટમાં વકીલ મારફતે અરજી કરી હતી જેમાં વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતી આગોતરા જમીન મંજૂર કરેલ છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં મારા મારીના બનાવની ફરિયાદ નોંધાઈ હતી અને આરોપીઓએ રાત્રીના સમયે ઈજા પામનારને ચોર સમજીને માર માર્યો હતો જેથી મોરબી ડિસ્ટ્રીકટ કોર્ટમાં આરોપી નકુમ નવીનભાઈ રમેશભાઈ ની રેગ્યુલર જામીન અરજી દાખલ કરેલ હતી અને આરોપી તરફે જાણીતા વકીલ એચ.એમ.ભોરણીયા તથા કાનજી એમ. ગરચર રોકાયેલ હતા. અને તેને કોર્ટમાં ધારદાર દલીલ કરેલ હતી કે, આરોપીઓએ આવો કોઈ ગુન્હો કરેલ નથી, આવા કોઈ ગુન્હો અંગે જાણતા નથી, તેમ છતાં ખોટી રીતે સંડોવી દીધેલ છે. આ બનાવમાં આરોપી સીધી કે આડકતરી રીતે કોઈ ભાગ ભજવેલ નથી તેમજ હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના વિવિધ ચુકાદાઓને ધ્યાને લઈ આરોપીને આગોતરા જામીન અરજી મંજુર કરવા દલીલ કરેલ હતી જેને ધ્યાને લઈને કોર્ટે આરોપીને શરતી જામીન પર છોડવાનો હુકમ કરેલ છે.અને આ કેસમાં આરોપી તરફે જાણીતા વકીલ એચ.એમ.ભોરણીયા, કાનજી એમ.ગરચર તથા કરમશી ડી.પરમાર રોકાયેલ હતાં.