મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ચોર સમજીને માર મારવાના ગુનામાં આરોપીના આગોતરા જામીન મંજુર


SHARE











મોરબીમાં ચોર સમજીને માર મારવાના ગુનામાં આરોપીના આગોતરા જામીન મંજુર

મોરબીના શનાળા રોડ ઉપર વાડી પાસે ચોર સમજીને માર મારવાની ફરિયાદ નોંધાઈ હતી જેથી આરોપીએ આગોતરા જમીન માટે કોર્ટમાં વકીલ મારફતે અરજી કરી હતી જેમાં વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતી આગોતરા જમીન મંજૂર કરેલ છે

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં મારા મારીના બનાવની ફરિયાદ નોંધાઈ હતી અને આરોપીઓએ રાત્રીના સમયે ઈજા પામનારને ચોર સમજીને માર માર્યો હતો જેથી મોરબી ડિસ્ટ્રીકટ કોર્ટમાં આરોપી નકુમ નવીનભાઈ રમેશભાઈ ની રેગ્યુલર જામીન અરજી દાખલ કરેલ હતી અને આરોપી તરફે જાણીતા વકીલ એચ.એમ.ભોરણીયા તથા કાનજી એમ. ગરચર રોકાયેલ હતા. અને તેને કોર્ટમાં ધારદાર દલીલ કરેલ હતી કે, આરોપીઓએ આવો કોઈ ગુન્હો કરેલ નથી, આવા કોઈ ગુન્હો અંગે જાણતા નથી, તેમ છતાં ખોટી રીતે સંડોવી દીધેલ છે. આ બનાવમાં આરોપી સીધી કે આડકતરી રીતે કોઈ ભાગ ભજવેલ નથી તેમજ હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના વિવિધ ચુકાદાઓને ધ્યાને લઈ આરોપીને આગોતરા જામીન અરજી મંજુર કરવા દલીલ કરેલ હતી જેને ધ્યાને લઈને કોર્ટે આરોપીને શરતી જામીન પર છોડવાનો હુકમ કરેલ છે.અને આ કેસમાં આરોપી તરફે જાણીતા વકીલ એચ.એમ.ભોરણીયા, કાનજી એમ.ગરચર તથા કરમશી ડી.પરમાર રોકાયેલ હતાં.






Latest News