મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત


SHARE







હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત

વાંકાનેરના મહારાજા અને રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ રાજકોટ (હિરાસર) આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ તથા એર કાર્ગો ટર્મિનલ તાત્કાલિક શરૂ કરવા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે.રામામોહન નાયડુજીને રજૂઆત કરી છે.

સાંસદએ જણાવ્યું હતું કે હિરાસર એરપોર્ટ સંપૂર્ણ રીતે તૈયાર હોવા છતાં આંતરરાષ્ટ્રીય તથા કાર્ગો કામગીરીમાં વિલંબને કારણે સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગો અને નિકાસકારોને અમદાવાદ-મુંબઈ જેવા દૂરના એરપોર્ટ પર નિર્ભર રહેવું પડે છે. રાજકોટથી સીધી આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી શરૂ થવાથી વેપાર-ઉદ્યોગ, નિકાસ, પ્રવાસન અને NRI સમુદાયને મોટો લાભ મળશે. આથી હિરાસર એરપોર્ટનું કાર્ગો ટર્મિનલ તાત્કાલિક શરૂ કરવા તથા સીધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે જરૂરી કાર્યવાહી ઝડપી પૂર્ણ કરવા સાંસદએ ભારપૂર્વક રજૂઆત કરી છે.






Latest News