મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

અમદાવાદના કારંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બળાત્કારના ગુનામાં મોરબી ખાતેથી શખ્સની ધરપકડ


SHARE





અમદાવાદના કારંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બળાત્કારના ગુનામાં મોરબી ખાતેથી શખ્સની ધરપકડ

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાટરમાં રહેતા શખ્સની અમદાવાદ પોલીસે કારંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બળાત્કાર, છેડતી, મારામારી અને ધમકી સહિતના ગુનામાં ધરપકડ કરી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ અમદાવાદના કારંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બળાત્કાર, છેડતી, મારામારી અને ધમકી સહિતના ગુનામાં સંડોવાયેલ ઈસમ મોરબી હોવાની બાતમીને આધારે અમદાવાદની કારંજ પોલીસ મોરબી આવી હતી અને અહીં મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા ભીમજી સવારામ સલાટ જાતે મારવાડી નામના શખ્સની ઉપરોક્ત ગુનામાં સંડવણી હોય તેને કાર્યવાહી અર્થે અમદાવાદ લઈ ગઈ હોવાનું વધુમાં પોલીસે જણાવેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના ટંકારા તાલુકાના નેસડા (ખાનપર) ગામે રહેતા પ્રવીણભાઈ જેઠાભાઇ પરમાર નામનો ૩૪ વર્ષનો યુવાન શનાળથી આગળ આવેલ રાજપર ગામની નજીક આવેલ હનુમાન મંદિર પાસેથી પોતાનું બાઈક લઇને જતો હતો ત્યારે બાઇકની આડે અચાનક રોજડુ (જંગલી પ્રાણી) આડુ ઉતરતા પડી જતા ઇજા થતા પ્રવીણભાઈ પરમારને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતો જગદીશ હકાભાઇ ધામેચા નામનો ૩૦ વર્ષનો યુવાન સોસાયટી પાસેથી જતો હતો ત્યાં તેને વાહન અકસ્માતમાં ઇજા થતા સિવિલ સારવાર માટે લવાયો હતો.

મારામારીમાં ઇજા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર ઢુવા ગામ પાસે આવેલ વરમોરા સીરામીકમાં રહેતો વીરસિંહ ગોપ નામનો યુવાન ઢુવા નજીક હતો ત્યાં તેને મારામારીના બનાવમાં ઇજા થતા મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ભારતપરા વિસ્તારમાં રહેતા મુમતાઝબેન રતીજભાઈ સૈયદ (ઉંમર ૩૦) નામની મહિલાને ઘર નજીક પાડોશી સાથે મારામારીના બનાવમાં ઈજા પહોંચતા તેને પણ સારવારમાં ખસેડાયા હતા.




Latest News