મોરબીમાં કારખાનાઓ બંધ હોય પૈસાના ટેન્શનમાં ગુમ થયેલ યુવાન મળી આવ્યો મોરબી: દવા પી ગયેલી સગીરાનું સારવાર દરમિયાન મોત મોરબીના મયુરપુલ ઉપર કારની પાછળ કાર અથડાતાં ત્રિપલ અકસ્માત: કોઈ જાનહાનિ નહીં મોરબી મનપાની ચૂંટણીના ભાજપના સંકલ્પ પત્રમાં અનેક યોજનાઓનો સમાવેશ, વડીલોની સમિતિ બનાવીને કરાશે શહેરની કાયાપલટ: પ્રમુખ મોરબી તેમજ હળવદમાં આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે નિ:શુલ્ક કેમ્પ યોજતુ વિશ્વ હિન્દુ પરિષદ મોરબીની ઓમશાંતિ વિદ્યાલય ખાતે તાત્યા ટોપે, અનંત લક્ષ્મણ કન્હરે તથા ચાફેકર બંધુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ મોરબીમાં કોટેચા પરિવાર અને લાયન્સ ક્લબ દ્વારા છેલ્લા ૪ વર્ષથી અન્નદાનનો સેવા યજ્ઞ મોરબી વોર્ડ નં. 9 ના ભાજપના ચારેય ઉમેદવારો સાથે હતા, છે અને રહેશે: જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટ
Breaking news
Morbi Today

મોરબી શહેર પ્રાથમિક શિક્ષક શરાફી સહકારી મંડળીનો રજતજયંતી મહોત્સવ ઉજવાયો


SHARE













મોરબી શહેર પ્રાથમિક શિક્ષક શરાફી સહકારી મંડળીનો રજતજયંતી મહોત્સવ ઉજવાયો

મોરબી શહેર પ્રાથમિક શિક્ષક શરાફી સહકારી મંડળીની ૨૫ મી વાર્ષિક સાધારણ સભા તાલુકા શાળા નંબર-૧ બુનિયાદી કન્યા શાળા ખાતે યોજાઈ હતી આ સભાના અધ્યક્ષ કલ્પેશભાઈ મહોત હતા અને સભામાં આર.ડી.સી.બેંક ડિરેક્ટર અમૃતલાલ વિડજા અને દલસુખભાઈ વી. બોડામોરબી તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ બળવંતભાઈ કોટડિયાઆર.ડી.સી. ના ઝોનલ ઓફિસર ચેતનભાઈ ભૂતમેનેજર અતુલભાઈ કાલરિયા,  મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરિયારાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લાના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા, અશોકભાઈ વડાલિયાબી.આર.સી. કો.ઓર્ડિનેટર ચિરાગભાઈ આદ્રોજા સહિતના હોદેદારો હાજર રહ્યા હતા આ સભામાં મંડળીના મંત્રી જયેશભાઈ બાવરવા દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો અને દિવંગત સભાસદોને યાદ કરી તેમને ચૂકવેલ સહાયની મંત્રી દ્વારા વિગત આપવામાં આવી હતી ત્યાર બાદ મંડળીના પૂર્વ પ્રમુખ નાનાલાલ આર. દેકાવડિયા, મનસુખભાઈ પી. ભોરણિયા તથા મંડળીના પૂર્વ મંત્રી માવજીભાઈ એ. સંઘાણીનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને ધોરણ ૧૨ ના પ્રથમ ત્રણ તેજસ્વી તારલા સ્મિત આનંદભાઈ જોષીકેયુર નરેશભાઈ સરડવાધ્રુવી વિક્રમભાઈ ડાંગર અને ધોરણ ૧૦ ના પ્રથમ ત્રણ તેજસ્વી તારલા પ્રીત જયેશભાઈ બાવરવાહિતેક્ષા રાજેશભાઈ બરાસરાનંદ સનતકુમાર કોરડિયાનું શિલ્ડ અને ટાઇટન વોચ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું  અને સાધારણ સભાના અધ્યક્ષ અને મંડળીના પ્રમુખ કલ્પેશભાઈ મહોતે પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું કે એફ.ડી.ના વ્યાજમાં 0.50 ટકાનો ઘટાડો અને લોનના વ્યાજમાં 0.50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ જાહેરાત સાંભળતાં જ તમામ સભાસદોએ આ ઠરાવને તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો આ કાર્યક્રમનું સફળ સંચાલન કારોબારી સભ્ય વિજયભાઈ દલસાણિયા તથા સંજય બાપોદરિયા દ્વારા કરવામાં આવ્યું હતું.






Latest News