માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકો દ્વારા જૂની પેન્શન ચાલુ કરવા રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજાને રજૂઆત


SHARE

















મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકો દ્વારા જૂની પેન્શન ચાલુ કરવા રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજાને રજૂઆત

રાજ્યમાં નવી વર્ધિત પેન્શન યોજના બંધ કરી જૂની પેન્શન યોજના પુન: ચાલુ કરવા તેમજ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના જી.પી.એફ.એકાઉન્ટ ટ્રાન્સફર કરવા બાબતે મોરબી અને માળિયા તાલુકાના પ્રાથમિક  શિક્ષકો દ્વારા રાજ્યના મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ અન્વયે તેમજ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના આહવાનથી મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી દિનેશભાઈ આર.હુંબલની આગેવાની હેઠળ મોરબી અને માળિયા (મિ.) તાલુકાના પ્રાથમિક શિક્ષકોએ અન્યો રાજ્યોની જેમ આપણા ગુજરાત રાજ્યમાં પણ નવી વર્ધિત પેન્શન યોજના રદ કરી જૂની પેન્શન યોજનાનો પુન: સ્વીકાર થાય તે માટે મોરબી માળિયા વિસ્તારના ધારાસભ્ય અને શ્રમ, રોજગાર, ગ્રામ ગૃહનિર્માણ, ગ્રામ વિકાસ અને પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાને આવેદનપત્ર પાઠવ્યું હતી અને નવી પેન્શન યોજના કર્મચારીઓ માટે સામાજીક અને કૌટુંબિક બાબતે આર્થિક રીતે અસુરક્ષા આપનારી હોય દેશના અન્ય રાજ્યોની જેમ ગુજરાત સરકાર પણ નવી વર્ધિત પેન્શન યોજના રદ કરી તાત્કાલિક  ધોરણે જૂની પેન્શન યોજના શરૂ કરે તે માટેની  રજુઆત કરવામાં આવી હતી સાથે સાથે મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના જી.પી.એફ.એકાઉન્ટ  મૂળ રાજકોટ જિલ્લામાંથી નવરચિત મોરબી જિલ્લામાં તાત્કાલિક ધોરણે તબદીલ થાય અને શિક્ષકોની જી.પી.એફ.અંગેની મુશ્કેલીઓ દૂર થાય તે માટે પણ રજુઆત કરવામાં આવી હતી આ તકે દિનેશભાઈ આર.હુંબલ, મણીલાલ વી. સરડવા, ધીરૂભાઇ જાકાસણીયા, અશ્વિનભાઈ આર.દલસાણીયા, હસુભાઈ વરસડાહર્ષદભાઈ ટી.પટેલ તેમજ મોરબી અને માળિયા તાલુકાના શિક્ષકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.




Latest News