માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

ટંકારાના સજનપરમાં વ્યાજખોરોએ પતિને મારી નાખવાની ધમકી આપતા પરિણીતાએ ન કરવાનું કર્યું 


SHARE











ટંકારાના સજનપરમાં વ્યાજખોરોએ પતિને મારી નાખવાની ધમકી આપતા પરિણીતાએ ન કરવાનું કર્યું 

ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા યુવાને ગામના જ બે શખ્સો પાસેથી ૨.૪૦ લાખ વ્યાજે લીધેલા હતા જે રૂપિયાની પઠાણી ઉઘરાણી વ્યાજખોરો દ્વારા કરવામાં આવતી હતી અને તેના ઘરે આવીને ગાળો આપીને યુવાનને મારી નાખવાની ધમકી આપતા હતા જેથી કરીને યુવાનની પત્નીએ ફિનાઈલ પી લેતા તેને સારવારમાં લઈ આવ્યા હતા અને ત્યારબાદ તેણે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા ઉષાબેન દિલીપભાઈ જાદવ (૩૫)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઘનશ્યામસિંહ વિજુભા જાડેજા અને દિલીપભાઈ ઉર્ફે ભયલુભાઈ જાડેજા રહે. બંને સજનપર ગામ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, ફરિયાદીના પતિ દિલીપભાઈ અમરશીભાઈ જાદવને પૈસાની જરૂર હતી ત્યારે ઘનશ્યામસિંહ પાસેથી બે લાખ રૂપિયા અને દિલીપભાઈ પાસેથી ૪૦ હજાર આમ કુલ મળીને ૨.૪૦ લાખ ૧૦ ટકાના વ્યાજે લીધા હતા જે રૂપિયાની પઠાણી ઉઘરાણી બંને શખ્સો દ્વારા કરવામાં આવતી હતી અને તેના ઘરે આવીને ફરિયાદી અનુસૂચિત જાતિના હોવાનું જાણતા હોવા છતાં તેઓને ગાળો આપીને રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા હતા અને ફરિયાદીના પતિ દિલીપભાઈને મારી નાખવાની ધમકી આપતા હતા જેથી કરીને ફરિયાદી મહિલાને લાગી આવતા તેણે પોતાની જાતે પોતાના ઘરે ફિનાઇલ પી લેતા તેને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જે ફરિયાદ નોંધાવી છે તેના આધારે પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ કેસની તપાસ એસટી એસસી સેલના ડીવાયએસપી પી.એ. ઝાલા ચલાવી રહ્યા છે






Latest News