મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ
SHARE
મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ
મોરબીના બાપાસીતારામ ચોક પાસે આવેલ શ્રીરામ સોસાયટી ખાતે રહેતી શિક્ષિકાને સંતાનમાં ત્રણ દીકરી છે અને દીકરો ન હોવાથી તેને પતિ, સાસુ, સસરા, જેઠ અને નણંદ દ્વારા અવારનવાર મેણાં ટોણા મારીને તેને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જેથી શિક્ષિકાએ મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ સહિત કુલ ૫ લોકોની સામે ફરિયાદ નોંધાવેલ છે
મોરબીના બાપાસીતારામ ચોક પાસે આવેલ શ્રીરામ સોસાયટીમાં રહેતા પૂનમબેન બ્રિજેશભારથી ગોસ્વામી (43)એ હાલમાં તેના પતિ બ્રિજેશભારથી કિશોરભારથી ગોસ્વામી, સાસુ હંસાબેન કિશોરભારથી ગોસ્વામી, સસરા કિશોરભારથી લાલભારથી ગોસ્વામી, જેઠ ધર્મેશભારથી કિશોરભારથી ગોસ્વામી તથા નણંદ નિરાલીબેન રિતેશપરી ગોસ્વામી રહે બધા શ્રીરામ સોસાયટી મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, લગ્નજીવન દરમિયાન પતિ સાસુ, સસરા, જેઠ અને નણંદ દ્વારા અવારનવાર ઘર કામ બાબતે તેમજ તેને સંતાનમાં ત્રણ દીકરીઓ છે અને દીકરો નથી તે બાબતે અવારનવાર મેણાં ટોણાં મારીને શારીરિક માનસિક દુઃખ આપવામાં આવતું હતું જેથી શિક્ષિકાએ નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે તેના પતિ સહિત કુલ પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.