મોરબી : મધ્યપ્રદેશમાં નોંધાયેલ અપહરણના ગુનામાં પકડાઈ જવાના ડરે યુવાને જીવ દીધો, પાનેલી ગામે યુવતીએ ઝાડમાં લટકીને અને વાંકાનેરમાં દવા પીને આધેડે જીવ દીધો વાંકાનેરમાં કેમ કાતર મારેશ કહેતા બે યુવાનો ઉપર આઠ લોકોનો હુમલો, જાનથી મારી નાંખવાની ધમકી વાંકાનેરમાં મિત્ર સાથેના ઝઘડામાં યુવાન સહિતનાઓ ઉપર કુહાડી-છરી વડે હુમલો, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે યુવાશક્તિ ગ્રુપ-મોરબી દ્વારા રક્તદાન તથા રક્તદાતાઓનું સન્માન મોરબી શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી મુક્તિ માટે તા.૧૮ ના કલેકટર કચરી ખાતે ધરણા રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં આઠ-આઠ વર્ષ થયાં છતાં કોઇ ચુકાદા આવતા નથી :લાલજી મહેતા મોરબીમાં બોગસ ડોક્યુમેન્ટ આધારે ખેડૂત તરીકે ખોટી ઓળખ ધારણ કરવાના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં વહેલી સવારે ઘાસ વહેંચવા ઉભેલા વૃદ્ધને હડફેટ લઈ મોત નીપજાવનાર બોલેરો ચાલકની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં કેમ કાતર મારેશ કહેતા બે યુવાનો ઉપર આઠ લોકોનો હુમલો, જાનથી મારી નાંખવાની ધમકી


SHARE











વાંકાનેરમાં કેમ કાતર મારેશ કહેતા બે યુવાનો ઉપર આઠ લોકોનો હુમલો, જાનથી મારી નાંખવાની ધમકી

વાંકાનેર ખાતે નજીવી વાતે બોલાચાલી ઝગડો કરીને મારામારી કરવાનો બનાવ બન્યો હતો.જેમાં કાતર મારતા ઇસમને કેમ કાતર મારે છે ? તેમ વાત કરતા ટ્રાન્સપોર્ટર યુવાન ઉપર આઠ ઇસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.જે અંગે ફરિયાદ નોંધાવા પામેલ છે.

હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે વિશ્વદિપભાઇ ગાંડુભાઇ ડાભી ભરવાડ (ઉ.વ.૨૭) ધંધો ટ્રાન્સપોર્ટ રહે.ભરવાડપરા શેરી નંબર-૫ વાંકાનેરએ હુમલો કરનાર એજાજ ઉર્ફે ડાબલી, મહમદ હુશેન લાખા, એજાજનો ભાઇ, નીખીલ ઉર્ફે કાબો ભોજક, અકીલ, ઇકબાલ, આફતાબ લાખા અને અલફાઝ માણેક રહે.બધા વાકાનેર સામે ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતુ કે, આરોપી પૈકીનો એઝાજ ફરીયાદી સામે કાતરીયા મારતો હોય જેથી ફરીયાદીએ તેને કેમ કાતરીયા મારે છે ? તેમ કહેતા એઝાજે બાકીના સાથે મળી ગેરતાયદેસર મંડળી રચીને ફરીયાદી તેમજ સાહેદ મીલનભાઇ દાદર સાથે જેમફાવે તેમ બોલાચાલી કરી જપાજપી કરીને હથીયારો ધારણ કરીને મુંઢ માર મારી ગાળો આપીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.પીએસઆઇ વિ.કે.મહેશ્વરી ચપાસ ચલાવી રહ્યા છે.વાંકાનેર સહિત જિલ્લામાં બનતા આવા બનાવો પોલીસનો લેસ માત્ર ભય ન હોય તેવો ઘાટ સર્જે છે.જે ચિંતાનો વિષય છે.

અકસ્માત સર્જી વૃદ્ધનું મોત નીપજાવનાર કાર ચાલકની સામે ફરિયાદ નોંધાઇ

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ઘનશ્યામભાઈ બચુભાઈ વારેવડીયા પ્રજાપતિ (ઉંમર ૪૪) રહે.દાધોળીયા તાલુકો મુળી જિલ્લો સુરેન્દ્રનગરએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં સ્કોર્પીયો કાર નંબર જીજે ૩૬ એજે ૪૪૫૦ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓના પિતા બચુભાઈ વારેવડીયા તેમનું મોટર સાયકલ લઈને પરત ઘરે આવતા હતા ત્યારે તા.૧૨ ના બપોરે સાડા બારેક વાગ્યાના અરસામાં વાંકાનેરની નર્સરી ચોકડી પાસે સ્કોર્પીયો કારના ચાલકે બેદરકારીથી વાહન હંકારીને તેમના બાઇકને હડફેટે લીધું હતું.આ બનાવમાં માથા-શરીરે ગંભીર ઇજાઓ થવાથી બચુભાઈનું મોત નિપુ હતું.હાલ આ બાબતે ગુનો નોંધાતા વનરાજસિંહ ઝાલા દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

વાહન અકસ્માતમાં ઈજા

હળવદના ચરાડવા ગામ પાસે બાઈક સ્લીપ થવાનો અકસ્માત બનાવ બન્યો હતો.જે બનાવમાં અભિષેક શિવકુમાર (૧૮), અમનેષ તક્ષશરામ કુમાર (૧૭) તથા શિવકુમાર વાસુદેવભાઈ કુમાર રહે.તમામ ચરાડવાનો ઇજા થતા અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News