મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 


SHARE







અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત 

મોરબીના ચાચાપર ગામ પાસે આવેલ કારખાનાની લેબર કોલોનીમાં સીડી ઉપરથી નીચે પડી જવાના કારણે માથામાં ગંભીર ઇજા પામેલા યુવાનનું મોત નીપજ્યું હતું જ્યારે મોરબીના ભડીયાદ ગામ નજીક નળિયાના કારખાનામાં ઊંચાઈ ઉપરથી નીચે પટકાતાં ઇજા પામેલા યુવાનનું  સારવારમાં મોત નીપજયું હતું આ બંને બનાવની તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ સેન્ટાગોન સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહેતો રાજેશભાઈ રામેશ્વરભાઇ યાદવ (૩૬) મૂળ રહે.યુપી નામનો યુવાન મોરબીના ચાંચાપર ગામ પાસે આવેલ એકપુરા પોલિપેક કારખાનાની લેબર કોલોનીમાં હતો ત્યારે ત્યાં લેબર કોલોનીની સીડી ઉપરથી કોઈપણ કારણોસર પડી જવાના કારણે તેને માથામાં ઇજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના ભડીયાદ નજીક આવેલ નળીયાના કારખાનામાં કામ કરતા સમયે ભડીયાદ ગામે રહેતા રાજુભાઈ મનુભાઈ સીધાદીયા (35) નામનો યુવાન ઊંચાઈ ઉપરથી નીચે પડી ગયો હતો જેથી કરીને તેને ઇજાઓ થઈ હોવાથી તાત્કાલિક સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો જેની તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.






Latest News