મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

ગૌતમ અદાણીની માનવતા મરી પરવારી હોય મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા ઉપવાસી છાવણીમાં બેસણું-મોકાણનો કાર્યક્રમ યોજાયો


SHARE







ગૌતમ અદાણીની માનવતા મરી પરવારી હોય મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા ઉપવાસી છાવણીમાં બેસણું-મોકાણનો કાર્યક્રમ યોજાયો

મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપની પાસેથી વીજપોલનું વધુમાં વધુ વળતર મેળવવા માટે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે અને જે ખાનગી વીજ કંપની દ્વારા હાલમાં વીજપોલ ઊભા કરવામાં આવી રહ્યા છે તેના દ્વારા પાસેરામાં પૂણી જેવું વળતર ખેડૂતોને આપવા માટેનો તખ્તો ગોઠવવામાં આવ્યો છે તે તખ્તાને પલટાવવા માટે થઈને ખેડૂતો હાલમાં મેદાને પડ્યા છે અને શનિવારે રાત્રે જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે જે ખાનગી વીજ કંપની દ્વારા વીજ પોલ ઊભા કરવામાં આવે છે તે કંપનીના ગૌતમ અદાણીની માનવતા મરી પરવારી હોય ખેડૂતો દ્વારા તેનું બેસણું અને મોકાણ રાખવામાં આવી હતી જેમાં મોરબી તાલુકા ઉપરાંત સમગ્ર જિલ્લાના જુદા જુદા ગામમાંથી ખેડૂતો આવ્યા હતા

મોરબી જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં ખાનગી વીજ કંપનીની વીજ લાઈનો પસાર થાય છે તેના માટે તેને વીજ પોલ ઊભા કરવા માટેની કામગીરી ચાલી રહી છે જોકે તેનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવતો હતો પરંતુ મોરબી તાલુકાના જેતપર ગામથી જે અદાણી કંપનીની વીજ લાઈન પસાર થાય છે તેના વીજ પોલ ઊભા કરવા માટેની કામગીરીનો વિરોધ કરીને ખેડૂતો દ્વારા રણસીંગુ ફૂંકવામાં આવ્યું છે અને ગુરુવારથી જેતપર ગામે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરાયું છે દરમિયાન શુક્રવારે ગામના 15 થી વધુ ખેડૂતો દ્વારા મુંડન કરાવીને ખાનગી વીજ કંપની સામેનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો આ ઉપરાંત ત્રણ મહિલાઓ સહિત કુલ મળીને નવ જેટલા વ્યક્તિઓ દ્વારા હાલમાં આમરણાંત ઉપાસ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે

દરમ્યાન શનિવારે રાત્રે ઉપવાસી છાવણી ખાતે જે ખાનગી વીજ કંપનીનો પોલ ઉભો કરવા માટેની કામગીરી ચાલી રહી છે તે કંપનીના ગૌતમ અદાણીની માનવતા મરી પરવારી હોય ખેડૂતો દ્વારા તેના માટેનું બેસણું અને મોકાણ રાખવામાં આવી હતી જેમાં ન માત્ર મોરબી તાલુકો પરંતુ જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતો આવ્યા હતા અને ખાનગી વીજ કંપની સામે વળતર માટે જેતપર ગામના ખેડૂતો દ્વારા જે એકતાથી લડત ચલાવવામાં આવી રહી છે તેને તમામ ગામના ખેડૂતોએ સમર્થન આપ્યું છે અને તન મન ધન થી ટેકો આપીને જ્યારે મદદની જરૂર હશે ત્યારે ખેડૂતો જેતપર ગામના ખેડૂતોની સાથે રહેશે તેવી હાકલ કરી હતી જેથી આગામી દિવસોમાં આંદોલન વધુ વેગવંતુ બને તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે.






Latest News