વાંકાનેરના દીવાનપરા વિસ્તારમાં નિયમિત પાણી પહોચડવામાં ભાજપના સભ્યો અસમર્થ !
મોરબીમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદેદારોએ કાશ્મીરમાં કરવામાં આવેલ શિક્ષકોની હત્યાના વિરોધમાં આપ્યું આવેદનપત્ર
SHARE
મોરબીમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદેદારોએ કાશ્મીરમાં કરવામાં આવેલ શિક્ષકોની હત્યાના વિરોધમાં આપ્યું આવેદનપત્ર
મોરબીમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદેદારોએ આજે અધિક કલેકટર એન.કે.મુછારને રૂબરૂ મળીને કાશ્મીરમાં કરવામાં આવેલ શિક્ષકોની હત્યાના વિરોધમાં આવેદનપત્ર આપવામાં અવાયું છે જેમાં તેમણે જણાવ્યુ છે કે, ૭/૧૦ ને ગુરૂવારે સવારે ૧૧:૧૫ કલાકે આતંકવાદીઓ સંગમ ઇદગાહ ખાતે આવેલી સરકારી કુમાર શાળામાં ઘૂસી ગયા હતા ત્યાં કરેલ ગોળીબારમાં અલચી બાગ વિસ્તારમાં રહેતા શિક્ષક સુપિન્દર કૌર અને મૂળ જમ્મુના રહેવાસી શિક્ષક દીપકચંદના મોત થયા હતાં
ભારત સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કર્યા પછી કાશ્મીર ખીણમાં તાજેતરમાં જ 'ધ રેસિસ્ટન્સ ફૉસ' ઊભરી આવી છે, આ જ સમયમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ નો એક ખતરનાક ટ્રેન્ડ શરૂ થઈ રહ્યો છે, આતંકીઓ એ હવે મોટા હુમલા કરવાના બદલે નિશાન બનાવીને નાગરિકોની હત્યા કરવાનું શરૂ કર્યું છે. સમાજનું ઘડતર કરી રાષ્ટ્રીય ચારિત્ર્ય નિર્માણ કરી રહેલા શિક્ષકો ઉપરના હુમલા ને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્ય દ્વારા વખોડી કાઢવામાં આવે છે, અને જલ્દી આતંકવાદીઓને પકડી યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરે છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના સૌ શિક્ષક પરિવાર વતી મૃતક શિક્ષકોના આત્માને શાંતિ મળે તથા એમના પરિવાર જનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરવામાં આવી હતી અને મોરબીમાં દિનેશભાઈ ડી.વડસોલા અને સંદીપભાઈ લોરીયાએ અધિક કલેકટર એન.કે.મુછારને આવેદનપત્ર આપ્યું હતું