માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

વાંકાનેરના લાકડધાર પાસે કારખાનામાં ઉલ્ટી બાદ ઝારખંડના યુવાનનું મોત


SHARE

















વાંકાનેરના લાકડધાર પાસે કારખાનામાં ઉલ્ટી બાદ ઝારખંડના યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના લાકડધાર ગામ પાસે આવેલ શ્રી રામ ના કારખાનાની અંદર કામ કરતા અને ત્યાં જ રહેતા મૂળ ઝારખંડના રહેવાસી યુવાનને ઉલટી થયા બાદ તે ઘટના સ્થળેજ પડી ગયો હતો અને તેનુ મોત નીપજયું હતું જેથી કરીને મૃત્યુ પામેલા યુવાનના બોડીને પી.એમ. માટે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે 

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે વાંકાનેર તાલુકાના લાકડધાર ગામે આવેલ શ્રી રામ નામના કારખાનાની અંદર રહેતા અને મજૂરી કામ કરતા મૂળ ઝારખંડના રહેવાસી પ્રહલાદ ગોપ ગુરુચરણ જાતે પીટડી (ઉંમર વર્ષ ૩૨) નામના યુવાનને ગઈકાલે અચાનક કોઇ કારણોસર કારખાનામાં ઊલટી થઈ હતી અને ત્યારબાદ તે ઘટના સ્થળે પડી ગયો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને યુવાનના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો હાલમાં વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News