ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ખેડૂતોને સિંચાઇનું પાણી સરળતાથી મળી રહે તે માટે રાજય સરકાર પ્રયત્નશીલ: બ્રિજેશભાઇ મેરજા


SHARE











મોરબી જિલ્લાના ખેડૂતોને સિંચાઇનું પાણી સરળતાથી મળી રહે તે માટે રાજય સરકાર પ્રયત્નશીલ: બ્રિજેશભાઇ મેરજા
 

મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મીટીંગ હોલ ખાતે શ્રમ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને મોરબી અને માળીયા વિસ્તારના સિંચાઇ માટેના પાણીના પ્રશ્નો અંગેની સમીક્ષા બેઠક યોજાઇ હતી.


આ બેઠકમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે જિલ્લાના ખેડૂતોને સિંચાઇ માટેનું પાણી સરળતાથી મળી રહે તે માટે રાજય સરકાર પ્રયત્નશીલ છે. જિલ્લાના ખેડૂતોને રવિપાકના સમયે નિયમિત અને પુરતા પ્રમાણમાં નર્મદા કેનાલ મારફત સિંચાઇ માટેનું પાણી મળી રહે તેવા પ્રકારનું આયોજન છે. જે ગામો સિંચાઇ માટે નર્મદાના પાણીથી વંચિત છે તેવા ગામોમાં પણ સિંચાઇ માટેનું પાણી મળી રહે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહયા છે.

મંત્રીએ વધુમાં રવિપાકની સિઝન સમયે કેનાલ મારફત આપવામાં આવનાર પાણી સંદર્ભે કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે કેનાલ સફાઇ કામગીરી તાત્કાલિક હાથ ધરી સમય મર્યાદામાં આ કામગીરી પૂર્ણ કરવા સબંધિત વિભાગના અધિકારીઓને તાકિદ કરી હતી. તેમણે ચોમાસા દરમિયાન વધારે વરસાદના લીધે કેનાલમાંથી બહાર નિકળતા પાણીના કારણે ખેતીની જમીનને થતા નુકસાનને અટકાવવા જરૂરી સ્થળોએ એસકેએફ મુકી આવી પરિસ્થિતિનો કાયમી નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવા પણ વધુમાં જણાવ્યું હતું. તેમણે આ ઉપરાંત મચ્છુ-૩ ડેમનો કમાન્ડ વિસ્તાર વધારનું આયોજન કરવાની કામગરી સહિત કુંડી, સાયફન, એસકેએફ જેવી બાકી રહેતી કામગીરી સત્વરે પૂર્ણ કરવા ઉપિસ્થિત અધિકારીઓને સુચના આપી હતી.

આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારીયા, નર્મદા જળસંપત્તિ વિભાગ ગાંધીનગરના સ્પેશ્યલ સેક્રેટરી એમ.પી. રાવલ, અધિક્ષક ઇજનેરો સર્વ આર.એમ. મકવાણા, વાય.જે. પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વાઇસ ચેરમેન મગનભાઇ વડાવીયા,  અધિકારીઓ- પદાધિકારીઓ સહિત મોરબી- માળીયા વિસ્તારના ખેડૂતો, ઉપસ્થિત રહયા હતાં.






Latest News