મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ ડે વિથ કમિશનર કાર્યક્રમમાં જોડાઈ મોરબીના ધારાસભ્ય-રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાના જન્મદિવસ નિમિતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન મોરબીની રફાળેશ્વર ચોકડીએ મારામારીમાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત: બનાવ હત્યામાં પલટયો મોરબીના મહેન્દ્રનગર ગામે શનિવારે રાતે હિન્દુ સંમેલનનું આયોજન મોરબીમાં મનપા દ્વારા ખાણીપીણીના ૧૬ વેપારીઓને નોટિસ: વાસી બટર-અખાદ્ય ખોરાકનો કરાયો નાશ મોરબીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન મોરબી રવિવારે ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વુમન પાવર એવોર્ડ  સમારોહ યોજાશે મોરબીમાં સાંસદ વિનોદભાઈ ચાવડાના જન્મદિવસની સેવાકીય કામ સાથે ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં ગરબા સાથે વેકસિનેશન કેમ્પનું આયોજન


SHARE













મોરબીમાં ગરબા સાથે વેકસિનેશન કેમ્પનું આયોજન

મોરબીમાં શેરી ગરબાની સાથેસાથે કોરોનાની સંભવિત ત્રીજી લહેરની સામે રક્ષણ મળી રહે તે માટે વેકસીનેશન કેમ્પનું આયોજન કરાયુ હતુ. મોરબીના શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ ગ્રીનવુડ, અક્ષર જ્યોત, ભવ્ય પેલેસ, પેસિફિક હાઇટ, ૬૦ ફૂટ રોડ અને રવાપર-ઘુનડા રોડ દ્વારા આયોજિત શેરી ગરબામાં કોરોના વેક્સીનેશન પ્રોગ્રામનું અયોજન કરવામા આવ્યુ હતુ.નવરાત્રી મહોત્સવ દરમિયાન વધુ લોકો એક જગ્યાએ એકત્રીત થતા હોય લોકોનું સ્વાસ્થ સારૂ રહે અને કોરોના સામે રક્ષણ મળે તે માટે ગરબાની સાથેસાથે વેક્સિનેશનનો પ્રોગ્રામ યોજાયો હતો.જેમા અંદાજે ૯૦ થી વધુ લોકોને વેક્સિન આપીને અન્ય લોકોને પણ વેક્સિન લેવા માટે ઉત્સાહિત કરાયા હતા. યુવા ઉધોગપતિ આશિષ રંગાપડિયા (એલવી ગ્રેનાઇટો) તેમજ તેમના મિત્રમંડળ દ્વારા આયોજન સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી.






Latest News