મોરબીની આદર્શ સોસાયટીમાં પ્લમ્બીંગ કામ કરવા માટે યુવાનને ત્રણ શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો
મોરબીના લખધીરપુર ગામે મહિલાએ ગળેફાંસો ખાતા મોત
SHARE
મોરબીના લખધીરપુર ગામે મહિલાએ ગળેફાંસો ખાતા મોત
મોરબી તાલુકાના લખધીરપુર ગામે રહેતી મહિલાએ ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળે છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ લખધીરપુર ગામે રહેતા મંજુલાબેન મોહનભાઈ હડિયલ નામની ૩૯ વર્ષીય મહિલાએ તેમના ઘેર ગળેફાંસો ખાઇ લીધો હતો જેથી તેણીનુ મોત નિપજતા મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો અને બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ મથકના અજીતસિંહ પરમારે તપાસ હાથ ધરી હતી.જેમાં ખૂલ્યું હતું કે મૃતક મંજુલાબેન માનસિક રીતે અસ્વસ્થ હતા અને છેલ્લા એકાદ વર્ષથી તેઓની જામનગર ખાતે માનસિક બીમારી સબબ દવા ચાલતી હતી દરમિયાનમા કોઇ કારણોસર ગઇકાલે સાંજે આઠેક વાગ્યે મંજુલાબેન અંતિમ પગલું ભરી લેતા તેમનું મોત નિપજેલ છે.
મારામારીમાં ઇજા
મોરબીનાં રણછોડનગરમાં આવેલ શાંતીવન સોસાયટીમાં રહેતા વિજયાબેન ભગવાનજીભાઈ પરમાર નામની ૩૮ વર્ષીય મહિલાને મારામારીમાં ઇજા થતાં સારવારમાં સિવિલે ખસેડાયા હતા. તે રીતે જ રોહીદાસપરા વિસ્તારમાં રહેતા પરસોત્તમભાઈ હીરાભાઈ ચાવડા નામના ૩૭ વર્ષીય યુવાને પણ મારામારીમાં ઇજાઓ થતાં સારવારમાં ખસેડાયો હતો અને મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ પર રહેતા જયાબેન વાલજીભાઈ ડાભી નામના ૫૦ વર્ષીય મહિલાને પણ મારામારીના બનાવમાં ઈજાઓ થતાં સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતા.આથી મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી હોવાનું પોલીસ સુત્રોએ જણાવેલ છે.