કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા હળવદના જુના ઇશનપુર ગામે જમવા બાબતે બોલચાલી કરીને યુવાનને 3 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે ગેરેજ પાસેથી કચરો ઉપાડવાનું કહેતા દુકાનદારને પાવડાના હાથા વડે માર માર્યો ટંકારા નજીક કારખાનામાં કામ દરમ્યાન માથામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર ગામે મહિલાએ ગળેફાંસો ખાતા મોત


SHARE







મોરબીના લખધીરપુર ગામે મહિલાએ ગળેફાંસો ખાતા મોત

મોરબી તાલુકાના લખધીરપુર ગામે રહેતી મહિલાએ ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળે છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ લખધીરપુર ગામે રહેતા મંજુલાબેન મોહનભાઈ હડિયલ નામની ૩૯ વર્ષીય મહિલાએ તેમના ઘેર ગળેફાંસો ખાઇ લીધો હતો જેથી તેણીનુ મોત નિપજતા મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો અને બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ મથકના અજીતસિંહ પરમારે તપાસ હાથ ધરી હતી.જેમાં ખૂલ્યું હતું કે મૃતક મંજુલાબેન માનસિક રીતે અસ્વસ્થ હતા અને છેલ્લા એકાદ વર્ષથી તેઓની જામનગર ખાતે માનસિક બીમારી સબબ દવા ચાલતી હતી દરમિયાનમા કોઇ કારણોસર ગઇકાલે સાંજે આઠેક વાગ્યે મંજુલાબેન અંતિમ પગલું ભરી લેતા તેમનું મોત નિપજેલ છે.

મારામારીમાં ઇજા

મોરબીનાં રણછોડનગરમાં આવેલ શાંતીવન સોસાયટીમાં રહેતા વિજયાબેન ભગવાનજીભાઈ પરમાર નામની ૩૮ વર્ષીય મહિલાને મારામારીમાં ઇજા થતાં સારવારમાં સિવિલે ખસેડાયા હતા. તે રીતે જ રોહીદાસપરા વિસ્તારમાં રહેતા પરસોત્તમભાઈ હીરાભાઈ ચાવડા નામના ૩૭ વર્ષીય યુવાને પણ મારામારીમાં ઇજાઓ થતાં સારવારમાં ખસેડાયો હતો અને મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ પર રહેતા જયાબેન વાલજીભાઈ ડાભી નામના ૫૦ વર્ષીય મહિલાને પણ મારામારીના બનાવમાં ઈજાઓ થતાં સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતા.આથી મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી હોવાનું પોલીસ સુત્રોએ જણાવેલ છે.

 






Latest News